કૉંગ્રેસના આ દિગ્ગજ નેતાએ આપ્યા રાજકારણમાંથી સન્યાસ લેવાના સંકેત, સમર્થકો સામે કહી આ વાત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 14 Dec 2020 05:09 PM (IST)
પોતાના સમર્થકોને સંબોધિત કરતા કહ્યું તેઓ હવે આરામ કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કોઈ મહત્વકાંક્ષા અથવા કોઈ પદ માટે કોઈ લાલચ નથી.
ફાઈલ તસવીર
ભોપાલ: મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ કમલનાથે રાજકીય સન્યાસ લેવાના સંકેત આપ્યા છે. છિંદવાડામાં તેમણે પોતાના સમર્થકોને સંબોધિત કરતા કહ્યું તેઓ હવે આરામ કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કોઈ મહત્વકાંક્ષા અથવા કોઈ પદ માટે કોઈ લાલચ નથી. એક રેલીમાં સમર્થકોની સામે કમલનાથે કહ્યું, હું આરામ કરવા માટે તૈયાર છુ. મારી કોઈ મહત્વકાંક્ષા નથી અને કોઈ પણ માટે કોઈ લાલચ નથી. મે પહેલાથી જ બધુ મેળવી લીધુ છે. હું ઘરે રહેવા માટે તૈયાર છું. ઉલ્લેખનયી છે કે કમલનાથનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે, જ્યારે હાલમાં જ વિધાનસભા પેટા ચૂંટણીમાં કૉંગ્રેસે હારનો સામનો કરવો પડ્યો છે. પહેલા તો કમલનાથે મધ્યપ્રદેશમાં સત્તા ગુમાવવી પડી અને બાદમાં પેટા ચૂંટણીમાં કોઈ ખાસ કમાલ ન કરી શક્યા. એવામાં તેમના આ નિવેદનને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. કમલનાથના આ નિવેદનને લઈ ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે. તેઓ પોતાના આ નિવેદનથી પોતાનું પદ છોડવાની વાત કહી રહ્યા છે કે રાજકારણમાંથી સન્યાસ લેવાના સંકેત આપી રહ્યા છે તેના પર બધાનું ધ્યાન છે.