Maharashtra Assembly Election 2024:  આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી છે કે AAP મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી નહીં લડે. પાર્ટી દ્વારા કહેવામાં આવ્યું હતું કે AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ મહાવિકાસ અઘાડીના ઉમેદવારો માટે પ્રચાર કરશે. 


આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે તેમના એક્સ હેન્ડલ પર લખ્યું છે કે પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ મહારાષ્ટ્ર ચૂંટણીમાં MVA ઉમેદવારો માટે પ્રચાર કરશે. આમ આદમી પાર્ટી મહારાષ્ટ્રમાં ચૂંટણી નહીં લડે.






જો કે આ પહેલા ચર્ચા હતી કે આમ આદમી પાર્ટી મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી લડી શકે છે. જો રિપોર્ટ્સનું માનીએ તો પાર્ટી એક સીટ પર પોતાનો ઉમેદવાર ઉતારવાની યોજના બનાવી રહી હતી. AAP માલબાર હિલથી પોતાનો ઉમેદવાર ઉતારવાની યોજના બનાવી રહી હતી. જો કે હવે પાર્ટી દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે તે મહારાષ્ટ્રની ચૂંટણી નહીં લડે.   


મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 ક્યારે છે ?


મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકો પર 20 નવેમ્બરે એક તબક્કામાં મતદાન અને ત્યારબાદ 23 નવેમ્બરે મતગણતરી બાદ પરિણામ જાહેર કરવામાં આવશે. હાલમાં, મહાયુત ગઠબંધન (એટલે ​​કે ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપી) સત્તામાં છે. આ વખતે મહાવિકાસ આઘાડી (કોંગ્રેસ, શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે અને એનસીપી શરદચંદ્ર પવાર) પણ સત્તાની કમાન ફરીથી મેળવવાનો પ્રયાસ કરી રહી છે. હવે જોવાનું એ રહેશે કે આ વખતે જનતા ક્યાં ગઠબંધન પર ભરોસો વ્યક્ત કરે છે.   


ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના (UBT) એ બુધવારે (23 ઓક્ટોબર) મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે 65 બેઠકો માટે ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી હતી. આ યાદીમાં પાર્ટીએ થાણેની કોપરી-પંચપખારી સીટ પર કેદાર દિઘેને ટિકિટ આપી છે. આ મહારાષ્ટ્રની હૉટ સીટ છે કારણ કે અહીંથી સીએમ એકનાથ શિંદે ચૂંટણી લડી રહ્યા છે.   


મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈ તમામ પક્ષો પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યા છે. કૉંગ્રેસે પણ આજે 23 ઉમેદવારોની યાદી જાહેર કરી છે.  


 


Maharashtra: કોણ છે કેદાર દિધે ? જેને ઉદ્વવ ઠાકરેએ સીએમ એકનાથ શિન્દે વિરૂદ્ધ આપી ટિકીટ