મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે ચક્રવાતથી સૌથી વધુ અસરગ્રસ્ત રાયગઢ જિલ્લાને તાત્કાલિક અસરથી 100 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આ જાહેરાત કરી હતી. આ સાથે જ મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું હતું કે અન્ય જિલ્લાઓમાં તોફાનને કારણે થયેલા નુકસાન માટે મદદની જાહેરાત કરવામાં આવશે.


મુખ્યમંત્રીએ આજે ​​અલીબાગની મુલાકાત લીધી અને નુકસાનનું નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે પર્યાવરણમંત્રી આદિત્ય ઠાકરે પણ હતા. આ સહાય ( 100 કરોડ) ઇમરજન્સી રાહત માટે આપવામાં આવશે. આ માત્ર એક શરૂઆત છે. તેને કોઈ પેકેજ ન કહેશો, 'એમ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પીટીઆઈના એક અહેવાલમાં જણાવ્યું હતું.



અહેવાલ અનુસાર, તેમણે કહ્યું હતું કે તાત્કાલિક આ વિસ્તારમાં મકાનોની મરામત અને ટેલિકમ્યુનિકેશનને પુનર્સ્થાપિત કરવામાં આવશે. તેમણે એવી ખાતરી પણ આપી હતી કે ચક્રવાતને કારણે નુકસાન વેઠનારા ખેડુતો અને માછીમારોને રાહત આપવામાં આવશે.