મુંબઈ: મહારાષ્ટ્રમાં બેકાબૂ કોરોના સંક્રમણ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે જનતાને સંબોધિત કરી હતી. મુખ્યમંત્રીએ જનતાને સંબોધિત કરતા કહ્યું મહારાષ્ટ્રમાં કોરોના નિયંત્રણથી બહાર છે. મહારાષ્ટ્રમાં પરિસ્થિતિ ગંભીર છે. તેમણે કહ્યું આવતીકાલે રાત્ર 8 વાગ્યાથી બ્રેક ધ ચેન અભિયાન શરુ કરવામાં આવશે.  મહારાષ્ટ્રમાં ઉધ્ધવ સરકારે લોકડાઉનના લાદ્યું પણ લોકડાઉનથી પણ આકરાં નિયંત્રણો લગાવ્યાં છે. રાજ્યમાં 15 દિવસ સુધી કર્ફ્યૂ લાગુ રહેશે.  

Continues below advertisement


સોશિયલ મીડિયા પર લોકોને સંબોધિત કરતા મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ કેટલાક નવા પ્રતિબંધો  તથા સમગ્ર રાજ્યમાં 15 દિવસ સુધી કલમ 144 લાગુ પાડવાની જાહેરાત કરી છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું રાજ્યમાં લોકડાઉન નથી લગાવાયું પરંતે તે પ્રતિબંધો લગાવાયા છે તે ખૂબ જ કડક છે, જેમાં માત્ર જરુરી સેવાઓને છોડી તમામ સેવાઓને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. 




મહારાષ્ટ્રમાં બેકાબૂ કોરોના સંક્રમણની વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યમાં કાલથી 15 દિવસ સુધી કલમ 144 લાગુ કરવાની જાહેરાત સાથે મંગળવારે રાત્રે ઘણી જાહેરાત કરી છે. આ તમામ પ્રતિબંધો 14 એપ્રિલની રાત 8 વાગ્યાથી લઈને 1 મે સવારે 7 વાગ્યા સુધી લાગુ રહેશે.


રાજ્યમાં જરુરી સેવાઓને બાદ કરતા તમામ સેવાઓ પર પ્રતિબંધ છે. 15 દિવસ સુધી ફક્ત જરુરી સેવાઓ ચાલુ રહેશે. લોકોની અવરજવર બંધ રહેશે. સમગ્ર રાજ્યમાં કલમ 144 લાગુ રહેશે તથા લોકોને કારણ વગર ઘરની બહાર નહીં નીકળી શકે.


મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ  જણાવ્યું કે મહારાષ્ટ્રમાં મોતનો આંકડો ઘણો વધારે છે. રાજ્ય પર ઘણું દબાણ આવ્યું છે. તેમણે કહ્યું કે હોસ્પિટલમાં બેડ વધારે છે તેમ છતા પણ રાજ્યમાં કોરોના કન્ટ્રોલમાં આવતો નથી. ઓક્સિજનનો પૂરેપૂરો ઉપયોગ આરોગ્ય સેવા પર કરાઈ રહ્યો છે. લોકોના જીવ બચાવવા માટે 100 ટકા ઓક્સિજનનો ઉપયોગ કરાઈ રહ્યો છે. ઠાકરેએ જણાવ્યું કે અમારે ઓક્સિજનની તાત્કાલિક જરુર છે.જ્યાં સુધી અમને ઓક્સિજન નહીં મળે ત્યાં સુધી પરિસ્થિતિ ખરાબ જ રહેવાની છે. બીજા રાજ્યોમાંથી ઓક્સિજન લાવવામાં વાર લાગશે. સિસ્ટમ કોઈ પણ સમયે ક્રેશ થઈ શકે છે. અમે મોતનો એક પણ આંકડો છુપાવી રહ્યાં નથી.