Maharashtra Corona Curfew: મહારાષ્ટ્રમાં બેકાબૂ કોરોના સંક્રમણ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે જનતાને સંબોધિત કરી રહ્યા છે. મુખ્યમંત્રીએ જનતાને સંબોધિત કરતા કહ્યું મહારાષ્ટ્રમાં કોરોના નિયંત્રણથી બહાર છે.   મહારાષ્ટ્રમાં પરિસ્થિતિ ગંભીર છે. તેમણે કહ્યું આવતીકાલે રાત્ર 8 વાગ્યાથી બ્રેક ધ ચેન અભિયાન શરુ કરવામાં આવશે. રાજ્યમાં 15 દિવસ સુધી કર્ફ્યૂ લાગુ રહેશે.  ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના લોકોને અપીલ કરતા કહ્યું જો જરુર ન હોય તો ઘરની બહાર ન નિકળો. તેમણે કહ્યું મહારાષ્ટ્રમાં હાલ પૂર્ણ લોકડાઉન નહી લગાવવામાં આવે. આ સાથે જ બસ, ટ્રાંસપોર્ટ અને લોકલને બંધ નહી કરવામાં આવે. પરંતુ આ તમામ સેવાઓ માત્ર આવશ્યક સેવાઓ માટે જ ચાલુ રહેશે.



ઉદ્ધવ ઠાકરેએ કહ્યું રાજ્યમાં લોકડાઉન નથી લગાવાયું પરંતે તે પ્રતિબંધો લગાવાયા છે તે ખૂબ જ કડક છે, જેમાં માત્ર જરુરી સેવાઓને છોડી તમામ સેવાઓને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. 



મહારાષ્ટ્રમાં બેકાબૂ કોરોના સંક્રમણની વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યમાં કાલથી 15 દિવસ સુધી કલમ 144 લાગુ કરવાની જાહેરાત સાથે મંગળવારે રાત્રે ઘણી જાહેરાત કરી છે. આ તમામ પ્રતિબંધો 14 એપ્રિલની રાત 8 વાગ્યાથી લઈને 1 મે સવારે 7 વાગ્યા સુધી લાગુ રહેશે.



તેમણે કહ્યું કોરોના સામેની જંગમાં વેક્સીની પ્રક્રિયાને ઝડપી કરવી પડશે. તેમણે પ્રધાનમંત્રીને ઉદ્યોગોને મદદ કરવાની અપીલ કરી છે. આ સાથે જ તેમણે હવાઈમાર્ગે ઓક્સિજનનો જથ્થો લાવવાની કેંદ્ર પાસે મદદ માંગી છે. ઉદ્ધવ ઠાકરેએ હવાઈમાર્ગે ઓક્સિજનનો જથ્થો લાવવાની કેંદ્ર પાસે મદદ માંગી છે. મહારાષ્ટ્રમાં રસી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું,  મહારાષ્ટ્રમાં અનેક આપત્તિઓનો સામનો કરવાની તાકાત છે. 


મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ  જણાવ્યું કે મહારાષ્ટ્રમાં મોતનો આંકડો ઘણો વધારે છે. રાજ્ય પર ઘણું દબાણ આવ્યું છે. તેમણે કહ્યું કે હોસ્પિટલમાં બેડ વધારે છે તેમ છતા પણ રાજ્યમાં કોરોના કન્ટ્રોલમાં આવતો નથી. ઓક્સિજનનો પૂરેપૂરો ઉપયોગ આરોગ્ય સેવા પર કરાઈ રહ્યો છે. લોકોના જીવ બચાવવા માટે 100 ટકા ઓક્સિજનનો ઉપયોગ કરાઈ રહ્યો છે. ઠાકરેએ જણાવ્યું કે અમારે ઓક્સિજનની તાત્કાલિક જરુર છે.જ્યાં સુધી અમને ઓક્સિજન નહીં મળે ત્યાં સુધી પરિસ્થિતિ ખરાબ જ રહેવાની છે. બીજા રાજ્યોમાંથી ઓક્સિજન લાવવામાં વાર લાગશે. સિસ્ટમ કોઈ પણ સમયે ક્રેશ થઈ શકે છે. અમે મોતનો એક પણ આંકડો છુપાવી રહ્યાં નથી.