કોરોના વાયરસના વધતા જતા કેસો વચ્ચે મહારાષ્ટ્ર સરકારે પણ નિયંત્રણો જાહેર કર્યા છે. મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે જાહેરાત કરી છે કે રાજ્યમાં 10 જાન્યુઆરીથી રાત્રે 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ અમલમાં રહેશે. સરકારે સવારના 5 થી 11 વાગ્યા સુધી પાંચ કે તેથી વધુ વ્યક્તિઓના જૂથમાં હિલચાલ પર પ્રતિબંધ મૂક્યો છે. આ સિવાય સરકારે સ્વિમિંગ પુલ, જીમ, સ્પા, બ્યુટી સલૂન, પ્રાણી સંગ્રહાલય અને મનોરંજન પાર્ક બંધ કરવાનો આદેશ આપ્યો છે.
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસના 41 હજાર 434 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 9 હજાર 671 લોકો સાજા થયા છે અને 13 લોકોના કોરોનાને કારણે મોત થયા હતા. હાલમાં રાજ્યમાં કોરોનાના 1 લાખ 73 હજાર 238 એક્ટિવ કેસ છે. આ સાથે રાજ્યમાં ઓમિક્રોનથી સંક્રમિત લોકોની સંખ્યા પણ વધી રહી છે. આજે ઓમિક્રોનના 133 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 1 હજાર 9 કેસ નોંધાયા છે.
મુંબઈમાં આજે ફરી કોરોનાના કેસનો આંકડો 20 હજારને પાર
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં કોરોનાથી હાહાકાર મચી ગયો છે. જોકે, શુક્રવારની સરખામણીમાં શનિવારે મુંબઈમાં કોરોનાના કેસોમાં થોડો ઘટાડો નોંધાયો છે. આજે મુંબઈમાં 20 હજાર 318 નવા કોરોના દર્દીઓની પુષ્ટિ થઈ છે, જ્યારે શુક્રવારે 24 કલાક દરમિયાન 20 હજાર 971 કોરોના સંક્રમિત જોવા મળ્યા હતા.
છેલ્લા 24 કલાક દરમિયાન મુંબઈમાં 5 કોરોના સંક્રમિત દર્દીઓના મોત થયા છે. હાલમાં શહેરમાં કોરોનાના 1 લાખ 6 હજાર 37 એક્ટિવ દર્દીઓ છે. સરકારના જણાવ્યા અનુસાર, હાલમાં 21.4 ટકા બેડ પર દર્દીઓ છે. BMC દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 6 હજાર 3 દર્દીઓ સાજા થયા છે, ત્યારબાદ કોરોનાથી સાજા થનારા લોકોની કુલ સંખ્યા વધીને 7 લાખ 70 હજાર 56 થઈ ગઈ છે. આજે મુંબઈમાં ડબલિંગ રેટ 47 દિવસનો રહ્યો.
એક અઠવાડિયામાં આ રીતે કેસ વધ્યા
07 જાન્યુઆરી- 2097106 જાન્યુઆરી- 2018105 જાન્યુઆરી- 1516604 જાન્યુઆરી- 1086003 જાન્યુઆરી- 808202 જાન્યુઆરી- 806301 જાન્યુઆરી- 6347