Ajit Pawar Plane Crash Live Updates: બારામતી પ્લેન દુર્ઘટનામાં અજિત પવારનું નિધન, મહારાષ્ટ્ર સરકારે જાહેર કર્યું નિવેદન

મહારાષ્ટ્રના બારામતી નજીક NCP નેતા અજિત પવારનું ખાનગી વિમાન ક્રેશ થયું છે.

gujarati.abplive.comLast Updated: 28 Jan 2026 02:41 PM

બ્રેકગ્રાઉન્ડ

મહારાષ્ટ્રના બારામતી નજીક NCP નેતા અજિત પવારનું ખાનગી વિમાન ક્રેશ થયું છે. વિમાન દુર્ઘટનામાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું મોત થયું છે. વિમાનમાં સવાર 5 લોકોના મોતની DGCAએ કરી પુષ્ટી...More

Ajit Pawar Plane Crash Live: માયાવતીએ શોક વ્યક્ત કર્યો

બસપાના વડાએ લખ્યું કે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા, મહારાષ્ટ્રના રાજકારણના દિગ્ગજ નેતાઓમાંના એક અજિત પવારનું આજે બારામતીમાં વિમાન દુર્ઘટનામાં મૃત્યુ ખૂબ જ દુઃખદ છે. તેમના પરિવાર અને તેમના પક્ષના સભ્યો પ્રત્યે મારી ઊંડી સંવેદના. ભગવાન તેમને આ ક્ષતિ સહન કરવાની શક્તિ આપે.