Maharashtra Political Crisis Live: મુંબઇ પહોંચ્યા અગાઉ શિંદેને Z કેટેગરીની સુરક્ષા, કહ્યુ- 'ફડણવીસ સાથે મુલાકાત બાદ નિર્ણય લઇશું'
શિવસેનામાં બળવા પછી ઉદ્ધવ ઠાકરેએ આખરે બુધવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના પદ પરથી રાજીનામું આપી દીધું છે
gujarati.abplive.com Last Updated: 30 Jun 2022 01:39 PM
બ્રેકગ્રાઉન્ડ
Maharashtra Political Crisis: શિવસેનામાં બળવા પછી ઉદ્ધવ ઠાકરેએ આખરે બુધવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે ફેસબુક લાઈવ મારફતે લોકોને સંબોધ્યા હતા. દરમિયાન તેમણે રાજીનામું આપી દીધું...More
Maharashtra Political Crisis: શિવસેનામાં બળવા પછી ઉદ્ધવ ઠાકરેએ આખરે બુધવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે ફેસબુક લાઈવ મારફતે લોકોને સંબોધ્યા હતા. દરમિયાન તેમણે રાજીનામું આપી દીધું હતું. બાદમાં તેઓ કાર જાતે જ ડ્રાઇવ કરીને રાજભવન પહોંચ્યા હતા અને રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને પોતાનું રાજીનામું સોંપ્યુ હતું. કારમાં તેમની સાથે પુત્ર આદિત્ય ઠાકરે પણ હતા. બીજી તરફ, એકનાથ શિંદે જ્યારે તેમના જૂથના ધારાસભ્યો સાથે ગોવા પહોંચ્યા ત્યારે રાજ્ય ભાજપના ટોચના નેતાઓએ મીઠાઈ વહેંચીને ખુશી વ્યક્ત કરી હતી.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
દેવેન્દ્ર ફડણવીસ આવતીકાલે મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે - સૂત્ર
સૂત્રોના જણાવ્યા અનુસાર આજે બપોરે 3 વાગ્યા પછી દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપની કોર ટીમ લીડર એકનાથ શિંદે રાજ્યપાલ પાસે જશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. આવતીકાલે 1 જુલાઈએ દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી તરીકે અને એકનાથ શિંદે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લઈ શકે છે. મુંબઈ પહોંચતા પહેલા શિંદેને Z કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. તેમણે કહ્યું કે ફડણવીસને મળ્યા બાદ સરકાર અંગે નિર્ણય લેવામાં આવશે.