= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
અમે બળવાખોર નથીઃ શિંદે એકનાથ શિંદેએ કહ્યું, અમે બળવાખોર નથી. અમે શિવસેના છીએ.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
બળવાખોર ધારાસભ્યોને મત આપવા દેવાથી લોકશાહીના મૂળ કપાઈ જશેઃ સિંઘવી અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે બળવાખોર ધારાસભ્યોને મત આપવા દેવાથી લોકશાહીના મૂળ કપાશે. રાજ્યપાલે ફ્લોર ટેસ્ટ માટે કેબિનેટની સલાહ લીધી ન હતી. ઉતાવળે નિર્ણય કર્યો. જ્યારે કોર્ટે સુનાવણી 11મી જુલાઈ પર મુલતવી રાખી છે ત્યારે તેનું ધ્યાન રાખવું જોઈતું હતું.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
મુંબઈમાં કોંગ્રેસની બેઠક ફ્લોર ટેસ્ટ પહેલા મુંબઈમાં કોંગ્રેસના નેતાઓ મંથન કરીને વ્યૂહરચના ઘડી રહ્યા છે. અશોક ચવાણ, નાના પટોલે, બાલાસાહેબ થોરાટ, સુનીલ કેદાર, નીતિન રાઉત આ બેઠકમાં હાજર છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ઉદ્ધવે બોલાવી બેઠક મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે પાંચ વાગે કેબિનેટ બેઠક બોલાવી છે. જેમાં શું નિર્ણય લેવામાં આવશે તેના પર બધાની નજર રહેશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ફ્લોર ટેસ્ટની ચિંતા નથી, અમારી પાસે 2/3 બહુમતી છેઃ શિંદે શિવસેનાના બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદેએ કહ્યું કે અમે આવતીકાલે મુંબઈ પહોંચીશું. 50 ધારાસભ્યો અમારી સાથે છે. અમારી પાસે 2/3 બહુમતી છે. અમે કોઈપણ ફ્લોર ટેસ્ટ વિશે ચિંતિત નથી. અમે બધું પસાર કરીશું અને અમને કોઈ રોકી શકશે નહીં. લોકશાહીમાં બહુમતી મહત્વની છે અને આપણી પાસે તે છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
સાંજે 5 વાગે સુનાવણી મહારાષ્ટ્રના રાજકીટ સંકટને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્ર સરકારના ફ્લોર ટેસ્ટની આજે સાંજે 5 કલાકે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
રાજ્યપાલે એસેમ્બલી સેક્રેટરીને વિશેષ સત્ર બોલવવા પત્ર લખ્યો = liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ફ્લોર ટેસ્ટ માટે મુંબઈ આવશે શિંદે ગ્રુપ મહારાષ્ટ્રની રાજનીતિને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ આવતી કાલે ફ્લોર ટેસ્ટનો આદેશ આપ્યો છે. આવતી કાલે ફ્લોર ટેસ્ટ સમયે શિંદે ગ્રુપ હાજર રહેશે. ગઈ કાલે પૂર્વ સીએમ અને વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) ઘણા ધારાસભ્યો સાથે રાજભવન પહોંચ્યા હતા. તેમની સાથે ધારાસભ્ય ચંદ્રકાંત પાટીલ, ગિરીશ મહાજન અને અન્ય નેતાઓ પણ હતા. તેમણે રાજ્યપાલની સામે ફ્લોર ટેસ્ટની માંગ ઉઠાવી હતી. અગાઉ દેવેન્દ્ર ફડણવીસ દિલ્હી ગયા હતા જ્યાં તેમણે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપ(BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda) સાથે મુલાકાત કરી હતી.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
જો સરકાર બનશે તો BJPના CM હશે સૂત્રોએ જણાવ્યું કે જો સરકાર બનશે તો મુખ્યમંત્રી ભાજપના જ હશે અને ભાજપના સીએમ સહિત કુલ 28 મંત્રીઓ હશે. ગૃહમંત્રી સમક્ષ કેબિનેટની ફોર્મ્યુલા અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી અમિત શાહે કલંકિત થયેલા લોકોને સરકારમાંથી બહાર રાખવાની વાત કરી હતી. ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે કહ્યું કે, દરેક કાયદાકીય દાવપેચનો જવાબ કાયદાકીય રણનીતિમાં છુપાયેલો છે. શાહને મળ્યા પહેલા ફડણવીસે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે પણ મુલાકાત કરી હતી. બંને વચ્ચે લગભગ એક કલાક સુધી મુલાકાત ચાલી હતી.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
મહારાષ્ટ્રમાં વર્તમાન રાજકીય પરિસ્થિતિ શું છે? મહારાષ્ટ્રમાં શિવસેના અને શિવસેનાના નેતા એકનાથ શિંદેની આગેવાની હેઠળના જૂથ વચ્ચેની ખેંચતાણ દેશની સર્વોચ્ચ અદાલતના દરવાજે પહોંચી ગઈ છે. જેના પર સુપ્રીમ કોર્ટે સોમવારે સુનાવણી કરતા શિંદે જૂથને રાહત આપી હતી. મહારાષ્ટ્ર વિધાનસભાના ઉપાધ્યક્ષ દ્વારા જાહેર કરાયેલી નોટિસમાં કોર્ટે શિવસેનાના નેતા એકનાથ શિંદે અને અન્ય ધારાસભ્યો સમક્ષ હાજર થવાનો સમય 12 જુલાઈના રોજ સાંજે 5.30 વાગ્યા સુધી લંબાવ્યો હતો