Maharashtra Politics live Updates: કેવી રીતે બચશે ઉદ્ધવ સરકાર? માતોશ્રીમાં શિવસેનાની બેઠકમાં પહોંચ્યા ફક્ત 12 ધારાસભ્ય

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે ​​સવારે 11.30 વાગ્યે પાર્ટીના ટોચના નેતાઓની બેઠક બોલાવી છે

Advertisement

gujarati.abplive.com Last Updated: 23 Jun 2022 01:50 PM
ઉદ્ધવ સરકાર કેવી રીતે ટકી શકશે?

માતોશ્રીમાં સીએમ ઉદ્ધવે બોલાવેલી બેઠકમાં ગુરુવારે માત્ર 12 ધારાસભ્યો જ પહોંચી શક્યા હતા. એટલે કે  શિવસેનાના ઉદ્ધવ ઠાકરે પાસે માત્ર 13 ધારાસભ્યોનો આંકડો જ બચ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે પાર્ટીમાં વધુ ભંગાણ થઈ શકે છે.

બ્રેકગ્રાઉન્ડ

Maharashtra Political Crisis: મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે ​​સવારે 11.30 વાગ્યે પાર્ટીના ટોચના નેતાઓની બેઠક બોલાવી છે. રાજકીય સંકટ અને શિવસેનાના તૂટવાની વચ્ચે મહારાષ્ટ્રના સીએમ શિવસેનાના મોટા નેતાઓ સાથે બેઠક કરશે. આ બેઠકમાં નેતાઓ સાથે ભાવિ રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવશે તેવું માનવામાં આવે છે. અહીં શિવસેનાના ધારાસભ્ય નીતિન દેશમુખ આજે ઉદ્ધવ ઠાકરેને મળશે, નીતિન દેશમુખ ગઈકાલે સુરતથી નાગપુર પહોંચ્યા હતા અને દાવો કર્યો હતો કે તેમને બંધક બનાવવામાં આવ્યા હતા. .


NCP ક્વોટાના મંત્રી નારાજ


 બીજી તરફ, હવે મહાવિકાસ અઘાડી સરકારમાં સહયોગી શિવસેના અને એનસીપી વચ્ચે મતભેદ હોવાના અહેવાલો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એનસીપીના મોટા નેતાઓએ આશંકા વ્યક્ત કરી છે કે શિવસેનાની છાવણીમાં ચાલી રહેલી ગરબડમાં શિવસેનાના મોટા નેતાઓ સામેલ છે. મોડી રાત્રે ડેપ્યુટી સીએમ અજિત પવારના ઘરે એક બેઠક યોજાઈ હતી, જેમાં એનસીપી ક્વોટાના મંત્રીઓએ સરકારી બંગલો છોડવાના ઉદ્ધવના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી હતી.

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.