= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
સંજય રાઉતનો આક્ષેપ, ગુજરાત પોલીસે અમારા ધારાસભ્યો સાથે મારપીટ કરી શિવસેનાના નેતા સંજ્ય રાઉતે કહ્યું કે ગુજરાતમાંથી ઓપરેશન લોટસ ચલાવવામાં આવી રહ્યું છે. અમારા ધારાસભ્યોને ગુજરાત પોલીસે માર માર્યો છે. નીતિન દેશમુખને માર મારવામાં આવ્યો છે, તેમને હાર્ટ એટેક આવ્યો છે, તેઓ હોસ્પિટલમાં દાખલ છે. ઘણા ધારાસભ્યો પાછા આવવા માંગે છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં ધારાસભ્યોને શા માટે રાખવામાં આવ્યા? સરકારને અસ્થિર કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ સમગ્ર શિવસેના ઉદ્ધવ ઠાકરેની સાથે છે. શિવસેના સંપૂર્ણપણે હિન્દુત્વ સાથે ઉભી છે. ધરતીકંપ થશે નહીં. ભાજપે પહેલા પણ પ્રયાસ કર્યો છે અને આ વખતે પણ સફળ થશે નહીં.આ સાથે શિવસેનાના નેતા રાઉતે કહ્યું કે તમામ ધારાસભ્યો ટૂંક સમયમાં પરત ફરશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ભગવત કરડ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને મળવા પહોંચ્યા કેન્દ્રીય રાજ્ય વિત મંત્રી ભગવત કરડ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને મળવા પહોંચ્યા છે. જો કે તેમણે, યોગા દિવસ માટે આવ્યા હોવાની વાત કરી છે. તેમણે કહ્યું, મહારાષ્ટ્રમાં જે ચાલી રહ્યું છે તે હું જાણું છું.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
જેપી નડ્ડા અને ગૃહમંત્રી શાહ ગુજરાત આવી શકે મહારાષ્ટ્રમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે સુત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાત આવી શકે છે. હાલમાં શિવસેનાના નારાજ ધારાસભ્યો સુરતમાં રોકાયા છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર ભાજપના ધારાસભ્યોને પણ ગુજરાતમાં લાવવામાં આવી શકે છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ધારાસભ્યોએ સુરતની એક હોટલમાં પડાવ નાખ્યો મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીમાં સત્તાધારી મહા વિકાસ અઘાડી (MVA) ને મળેલા આંચકા પછી, મહારાષ્ટ્રના મંત્રી એકનાથ શિંદે અને શિવસેનાના અન્ય કેટલાક ધારાસભ્યો સુરતની એક હોટલમાં પડાવ નાખ્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે પાર્ટીના નેતૃત્વથી નારાજ કેટલાક ધારાસભ્યો સોમવારે રાત્રે સુરત પહોંચ્યા હતા અને અહીંની લે મેરીડિયન હોટલમાં રોકાયા છે. હોટલની બહાર ભારે સુરક્ષા દળ તૈનાત કરવામાં આવ્યું છે.