Maharashtra Politics LIVE: સંજય રાઉતનો આક્ષેપ, ગુજરાત પોલીસે અમારા ધારાસભ્યો સાથે મારપીટ કરી

શિવસેના સામે બળવો કરનાર મંત્રી એકનાથ શિંદેએ પહેલી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે અમે બાળાસાહેબના મજબૂત શિવસૈનિક છીએ. બાળાસાહેબે અમને હિન્દુત્વ શીખવ્યું છે.

gujarati.abplive.com Last Updated: 21 Jun 2022 05:20 PM

બ્રેકગ્રાઉન્ડ

Eknath Shinde Statement: શિવસેના સામે બળવો કરનાર મંત્રી એકનાથ શિંદેએ પહેલી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે અમે બાળાસાહેબના મજબૂત શિવસૈનિક છીએ. બાળાસાહેબે અમને હિન્દુત્વ શીખવ્યું છે. બાલાસાહેબના વિચારો અને...More

સંજય રાઉતનો આક્ષેપ, ગુજરાત પોલીસે અમારા ધારાસભ્યો સાથે મારપીટ કરી

શિવસેનાના નેતા સંજ્ય રાઉતે કહ્યું કે ગુજરાતમાંથી ઓપરેશન લોટસ ચલાવવામાં આવી રહ્યું છે. અમારા ધારાસભ્યોને ગુજરાત પોલીસે માર માર્યો છે. નીતિન દેશમુખને માર મારવામાં આવ્યો છે, તેમને હાર્ટ એટેક આવ્યો છે, તેઓ હોસ્પિટલમાં દાખલ છે. ઘણા ધારાસભ્યો પાછા આવવા માંગે છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં ધારાસભ્યોને શા માટે રાખવામાં આવ્યા? સરકારને અસ્થિર કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ સમગ્ર શિવસેના ઉદ્ધવ ઠાકરેની સાથે છે. શિવસેના સંપૂર્ણપણે હિન્દુત્વ સાથે ઉભી છે. ધરતીકંપ થશે નહીં. ભાજપે પહેલા પણ પ્રયાસ કર્યો છે અને આ વખતે પણ સફળ થશે નહીં.આ સાથે શિવસેનાના નેતા રાઉતે કહ્યું કે તમામ ધારાસભ્યો ટૂંક સમયમાં પરત ફરશે.