કોલકત્તામાં જેપી નડ્ડાએ કહ્યુ- CAA પર પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યા છે મમતા બેનર્જી
abpasmita.in | 23 Dec 2019 10:56 PM (IST)
નાગરિકતા સંશોધન કાયદા અંગે મમતા દીદી અને તેમના તમામ નેતાઓ દેશમાં ભ્રમ ફેલાવી રહ્યા છે
કોલકત્તાઃ ભારતીય જનતા પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા કોલકત્તામાં નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં રેલી કાઢી હતી. આ દરમિયાન એક જનસભાને સંબોધિત કરતા નડ્ડાએ કહ્યુ કે, નાગરિકતા સંશોધન કાયદા અંગે મમતા દીદી અને તેમના તમામ નેતાઓ દેશમાં ભ્રમ ફેલાવી રહ્યા છે અને રાજ્યને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. નડ્ડાએ કહ્યુ કે, આ કાયદો નાગરિકતા આપવા માટે છે કોઇની નાગરિકતા છીનવવા માટે નહીં. નડ્ડાએ કહ્યું કે, ભારતમા આપણા મુસ્લિમ ભાઇ આગળ વધે. અનેક મુસ્લિમ ભાઇઓ ચીફ જસ્ટિસ બન્યા, રાષ્ટ્રપતિ બન્યા, ઉપરાષ્ટ્રપતિ બન્યા, મોટા-મોટા પદો પર બેઠા. અમે તેમન સમાન નજરે જોયા. આગળ વધવા માટે અમે પુરી મદદ કરી. નડ્ડાએ કહ્યું કે, મમતા બેનર્જી મત બેન્કની રાજનીતિ કરી રહી છે. વડાપ્રધાન મોદીનું લક્ષ્ય પાડોશી દેશોમાં ઉત્પીડન કરવામાં આવી રહેલા લોકોનુ ભલું કરવાનું છે. રેલીની ભીડને જોઇને ખ્યાલ આવે છે કે લોકો નાગરિકતા સંશોધન કાયદાને લઇને સરકારની સાથે છે.