દેશમાં કોરોના વેક્સિનેશનનો બીજો તબક્કો શરૂ થઇ ગયો છે. બીજા તબક્કામાં 60 વર્ષથી મોટી ઉંમરના વેક્સિનઆપવામાં આવી રહ્યું છે. ઉપરાંત ગંભીર બીમારીથી પીડિતા 45 વર્ષથી મોટી ઉંમરના લોકોને પણ વેક્સિન અપાઇ રહી છે.


મહારાષ્ટ્રના ભિવંડીમાં આંખની હોસ્પિટલમાં એક ડ્રાઇવર સુખદેવ મહિપતીએ બુધવારે કાળતર ઘર પરિસર ભાગ્યનગરના વેક્સિનેશન સેન્ટરમાંથી વેક્સિન લીઘું હતું. જો કે વેક્સિનેશન બાદ તેમનું મૃત્યુ થયાના સમાચાર મળ્યાં છે. મૃતક સુખદેવ કોઇ બીમારીથી પીડિત હતા કે શું અન્ય કોઇ કારણથી મૃત્યુ થયું છે. તે અંગેની કોઇ જાણકારી નથી મળી. હજું સુધી મૃત્યુનું કોઇ કારણ સ્પષ્ટ નથી થયું.