નોંધનીય છે કે બસપાએ લોકસભા ચૂંટણીમાં 10 બેઠકો હાંસલ કરી હતી. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં બસપાના સંગઠનમાં ફેરફાર કરવામાં આવી શકે છે. આ બેઠકમાં આ વર્ષે યોજાનારી બિહાર અને પશ્વિમ બંગાળની ચૂંટણી લડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
માયાવતી સામે સૌથી મોટો પડકરા પાર્ટીમાં પડેલી ફૂટને રોકવાનો છે. છેલ્લા કેટલાક મહિનામાં બસપામાંથી સૌથી વધુ નેતાઓ અન્ય પાર્ટીમાં જતા રહ્યા છે. જેમાંથી કેટલાક નેતાઓ સપા અથવા ભાજપમાં જોડાઇ ગયા છે.