એક સમયે ભાજપ સાથે ગઠબંધન કરીને સરકાર ચલાવનાર જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી કેન્દ્ર સરકાર પર આકરા પાણીએ છે. તેમણે ભારતીય જનતા પાર્ટી પર કટાક્ષ કરતા કહ્યું કે જિન્નાએ એકવાર દેશના ભાગલા પાડ્યા હતા, બીજેપી તે ફરીથી પાડવા માંગે છે. આ સમયે ગોડેસે બીજીવાર ગાંધીને મારવા માગે છે, તેમણે કહ્યું આ દેશમાં બીજીવાર ગાંધીને મરવા ન દો, મંદિર તો લોકો બનાવશે બીજેપીવાળા કેમ બનાવી રહ્યા છે.


 






મહેબૂબા મુફ્તીએ વધુમાં કહ્યું કે, કલમ 370 નાબૂદ થયા બાદ જમ્મુ-કાશ્મીર બરબાદ થઈ ગયું છે. ભાજપના લોકો ઈચ્છે છે કે, 5 કિલો રાશન આપો અને લોકો મોદી-મોદી કરવા લાગે. તેમણે કહ્યું કે મુફ્તી સાહેબે ભાજપ સાથે હાથ મિલાવ્યા હતા કારણ કે જમ્મુના લોકોએ ભાજપને મત આપ્યો હતો. મુફ્તી સાહેબ, વાજપેયી સાહેબ સાથે કામ કરવાનો અનુભવ સારો રહ્યો. માત્ર હિંદુ મુસલમાન કરવાથી કામ નહીં થાય. મહેબૂબા મુફ્તીએ કહ્યું કે કાશ્મીરમાં સ્થિતિ ખરાબ છે.


તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ ફિલ્મ કાશ્મીર ફાઈલ્સને લઈને કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે ટ્વીટમાં લખ્યું કે, જે રીતે ભારત સરકાર કાશ્મીર ફાઇલ્સને પ્રોત્સાહન આપી રહી છે અને કાશ્મીરી પંડિતોના દર્દને હથિયાર બનાવી રહી છે, તેનાથી તેમના ખરાબ ઈરાદાઓ સામે આવી ગયા છે. જૂના ઘા મલમ લગાવવા અને બે સમુદાયો વચ્ચે વધુ યોગ્ય વાતાવરણ ઊભું કરવાને બદલે તેઓ તેમને અલગ કરવા માગે છે.


The Kashmir Files ફિલ્મ પર સંજય રાઉતે માર્યો ટોણો


કાશ્મીરી પંડિતો પર બનેલી ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સ સુપરહીટ સાબિત થઈ રહી છે તો બીજી તરફ વિવેક અગ્નિહોત્રીની આ ફિલ્મને લઈને રાજકીય ટિકા ટિપ્પણી પણ ચરમ પર છે. આ ફિલ્મે  કમાણીના મામલે 100 કરોડનો આંક પાર કરી લીધો છે. એક તરફ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તેની પ્રશંશા કરી રહ્યા છે તો બીજી તરફ કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીના નેતાએ કહી રહ્યા છે કે આ ફિલ્મમાં પૂરી વાસ્તવિકતા બતાવવામાં આવી નથી.


ફિલ્મને રાષ્ટ્રીય પુરષ્કાર આપવામાં આવે છે


આ બધાની વચ્ચે પોતાના બેબાક અંદાજ માટે જાણીતા શિવસેનના નેતા સંજય રાઉતે આકરી પ્રતિક્રિયા આપી છે. સંજય રાઉતે ટોણો મારતા કહ્યું કે, કાશ્મીર પર એક ફિલ્મ બની છે પરંતુ સચ્ચાઈ છૂપાવવામાં આવી છે અને કેટલીક ખોટી વાતો કહેવામાં આવી છે. ભાજપ આ ફિલ્મનો પ્રચાર કરી રહી છે તો તેના સમર્થકો તો જોશે જ. ત્યાર બાદ આ ફિલ્મને રાષ્ટ્રીય પુરષ્કાર આપવામાં આવે છે, ફિલ્મના નિર્દેશકને પદ્મશ્રી આપવામાં આવશે.