મોદી સરકારે ધોરણ 10નું બોર્ડ કાઢી નાંખ્યુ ? હવે 12મા ધોરણમાં જ આપવી પડશે બોર્ડની પરીક્ષા જાણો સરકારે શું કહ્યું ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 12 Feb 2021 10:40 AM (IST)
વાયરલ થઈ રહેલ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં લાગુ થયેલ નવી શિક્ષણ નીતિ પ્રમાણે આગામી ધોરણ 12 બોર્ડની પરીક્ષા લેવાશે અને ધોરણ 10માં બોર્ડ ખત્મ કરવામાં આવશે.
પ્રતિકાત્મક તસવીર
નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર હાલમાં નવી શિક્ષણ નીતિને લઈને એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં લાગુ થયેલ નવી શિક્ષણ નીતિ પ્રમાણે આગામી ધોરણ 12 બોર્ડની પરીક્ષા લેવાશે અને ધોરણ 10માં બોર્ડ ખત્મ કરવામાં આવશે. હવે આ વાયરલ મેસેજ પર સરકાર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે. વાયરલ થઈ રહેલ દાવાને પીઆઈબીએ નકલી ગણાવ્યો છે. એ પણ સ્પષ્ટતા કરી છે કે આવો કોઈ આદેશ સરકારે આપ્યો નથી. પીઆઈબી તરફતી ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે, એક મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે નવી શિક્ષણ નીતિ અનુસાર હવે માત્ર 12માં ધોરણમાં જ બોર્ડની પરીક્ષા લેવાશે અને 10માં ધોરણમાં બોર્ડ પરીક્ષાની કોઈ જોગવાઈ નહીં હોય. #PIBFactCheck: આ દાવો નકલી છે. શિક્ષણ મંત્રાલયે આવો કોઈ આદેશ બહાર પાડ્યો નથી. તેની સાથે જ પીઆઈબીએ નવી શિક્ષણ નીતિને લઈને એક લિંક પણ શેર કરી છે. કેન્દ્ર સરકારે પીઆબીના માધ્યમથી કહ્યું કે, જો તમને પણ આવો કોઈ મેસેજ મળે તો તમે તેની પીઆઈબીની પાસે ફેક્ટ ચેક માટે https://factcheck.pib.gov.in/ અથવા વોટ્સઅપ નંબર +918799711259 અથવા ઇમેલઃ pibfactcheck@gmail.com પર મોકલી શકો છો. આ જાણકારી પીઆઈબીની વેબસાઈ https://pib.gov.in પર પણ ઉપલબ્ધ છે.