કૂચબિહારમાં અમિતશાહે જણાવ્યું કે, ‘બંગાળની અંદર માહોલ એવો થઇ ગયો છે કે, જય શ્રી રામ બોલવું ગુના સમાન છે. બંગાળમાં નહીં તો શું પાકિસ્તાનમાં જય શ્રી રામના નારા લગાવાશે? જય શ્રી રામના નારાથી તેમને તકલીફ થાય છે કારણ કે, મમતાને તુષ્ટીકરણ કરીને મુસ્લિમ સમુદાની વોટ બેન્ક હાસિંલ કરવી છે.
પાકિસ્તાનનો બન્યો મુદ્દો
2014થી રાષ્ટ્રવાદ અને પાકિસ્તાનનો મુદ્દો ચૂંટણીમાં ઉઠતો આવ્યો છે. લોકસભાની ચૂંટણી 2019માં પણ કેટલાક મંચો પર પાકિસ્તાનનો મુદ્દો જોરશોરથી ઉઠ્યો હતો. બિહાર 2020ની વિધાનસભાનીચૂંટણીમાં પણ પાકિસ્તાનનો મુદ્દો ઉઠ્યો હતો. આ જ રીતે દિલ્લીમાં 2020ની ચૂંટણીમાં પણ શાહીન બાગ અને પાકિસ્તાનો મુદ્દો ઉઠ્યો છે.
બંગાળની ચૂંટણીમાં હિન્દુ, મુસ્લિમનો મુદ્દો જોર પકડી રહ્યો છે હવે પાકિસ્તાનનો મુદ્દો પણ એન્ટ્રી કરી રહ્યો છે. આ મુદ્દો આવનાર ચૂંટણીમાં જોરદોરથી ઉઠતો જોવા