છેલ્લા કેટલાક સમયથી અફવાઓ ફેલાઇ રહી હતી કે સરકારનુ લૉકડાઉન હજુ પણ આગળ વધી શકે છે. જોકે હવે આને લઇને સરકારના કેબિનેટ સચિવ રાજીવ ગાબાએ ચોખવટ કરી છે.
રાજીવ ગાબાએ જણાવ્યુ કે, લૉકડાઉનને આગળ વધારવાની સરકારની હાલ કોઇ યોજના નથી. તેમને કહ્યું કે, સરકારની પાસે હાલ આવી કોઇ યોજના નથી. આ માત્ર અફવાઓ જ છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્રની મોદી સરકારે દેશમાં કોરોના વાયરસના ખતરાને ધ્યાનમાં રાખીને 14 એપ્રિલ સુધી, એટલે કે 21 દિવસ સુધી રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનની જાહેરાત કરી હતી.