નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર એક વાયરલ મેસેજમાં દાવો કરવામાં આવી ર્હોય છે કે, કોરોના કારણે મરનાર લોકોના પરિવારજનોને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત વીમાનો લાભ નહીં મળે.


જોકે આ દાવો કોટો છે. સરકાર તરફથી કેન્દ્ર સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલય અંતર્ત આવતા પીઆઈબીએ આ મામલે ટ્વીટ કરીને જાણકારી આપી છે. પીઆઈબી ફેક્ટ ચેક અનુસાર પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના કોરોના સંબંધિત મોતને કવર નથી કરતી, પરંતુ પ્રધાનમંત્રી જીવન જ્યોત બીમા યોજના કેટલીક શરતો સાથે કોરોનાથી થયેલ મોતને કવર કરે છે.



PIB Fact Check શું કરે છે?

PIB Fact Check કેન્દ્ર સરકારની પોલિસી/સ્કીમ્સ/વિભાગ/મંત્રાલયોને લઈને ખોટી જાણકારીને ફેલાતી રોકવાનું કામ કરે છે. સરકાર સાથે જોડાયેલ કોઈપણ પણ સમાચાર સાચા છે કે ખોટા એ જાણવા માટે PIB Fact Checkની મદદ લઈ શકાય છે. કોઈપણ PIB Fact Checkને શંકાસ્પદ સમાચારના સ્ક્રીનશોટ, ટ્વીટ, ફેસબુક પોસ્ટ અથવા યૂઆરએલ વોટ્સએન નંબર 918799711259 પર મોકલી શકે છે અથવા pibfactcheck@gmail.com પર મેલ કરી શકે છે.

જ્યાં સુધી મોદી સત્તામાં રહેશે ત્યાં સુધી ભારત-પાકિસ્તાન વચ્ચે નહીં રમાય ક્રિકેટ, જાણો પાકિસ્તાનના કયા પૂર્વ દિગ્ગજ ખેલાડીએ આપ્યું નિવેદન

મોદી સરકાર વિદ્યાર્થીઓને 1 લાખ રૂપિયા સુધીની સ્કોલરશીપ આપી રહી છે ? જાણો મોદી સરકારે શું કરી સ્પષ્ટતા ?

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ