Mumbai Corona New Guidelines: કોરોના વાયરસ (Coronavirus) ના સતત ઘટી રહેલા કેસને લઈ મુંબઈ  (Mumbai) માં લોકોને મોટી રાહત મળી છે. સરકારે નાઈટ કર્ફ્યૂ (Night Curfew) ને હટાવવાનો નિર્ણય કર્યો છે.  આ સાથે જ રેસ્ટોરન્ટ અને સિનેમાઘરોમાં 50 ટકા ક્ષમતા સાથે ચલાવવાની મંજૂરી પણ આપવામાં આવી છે. 


નવી માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે બીચ, પાર્ક પહેલાની જેમ સામાન્ય સમય અનુસાર ખુલ્લા રહેશે. આ સિવાય એમ્યુઝમેન્ટ પાર્ક અને થીમ પાર્ક 50 ટકા ક્ષમતા સાથે ખુલ્લા રહેશે. સ્વિમિંગ પુલ અને વોટર પાર્ક માટે પણ એવું જ કહેવામાં આવ્યું છે. સ્થાનિક ટુરિસ્ટ સ્પોટ પણ સામાન્ય દિવસોની જેમ ખોલી શકાશે. સાપ્તાહિક બજારો રાબેતા મુજબ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.



લગ્ન સંબંધી આદેશ


મુંબઈમાં લગ્નપ્રસંગો દરમિયાન, ખુલ્લા મેદાન અને બેન્ક્વેટ હોલની ક્ષમતા અનુસાર, 25 ટકા મહેમાનોને મંજૂરી આપવામાં આવશે અથવા 200 લોકો હાજરી આપી શકશે. જો કે, આમાંથી ઓછા લાગુ પડશે. એટલે કે, કોઈ પણ સંજોગોમાં 200 થી વધુ મહેમાનો હાજરી આપી શકશે નહીં.


આ 11 જિલ્લામાં પ્રતિબંધોમાં છૂટ


ગયા મહિને, રાજ્યમાં ચેપના કેસોમાં ભારે વધારો થયો હતો, પરંતુ હવે તેના દૈનિક કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે. નવી માર્ગદર્શિકા મુજબ, રાજ્યના 11 જિલ્લાઓમાં નિયંત્રણો હળવા કરવામાં આવ્યા છે, જ્યાં 90 ટકાથી વધુ લોકોએ પ્રથમ એન્ટિ-ઇન્ફેક્શન રસી મેળવી છે અને 70 ટકા લોકોએ રસીના બંને ડોઝ લીધા છે. જે 11 જિલ્લાઓમાં પ્રતિબંધો હળવા કરવામાં આવ્યા છે તેમાં મુંબઈ, પુણે, ભંડારા, સિંધુદુર્ગ, રાયગઢ, રત્નાગીરી, સતારા, સાંગલી, ગોંદિયા, કોલ્હાપુર અને ચંદ્રપુરનો સમાવેશ થાય છે.


મુંબઈમાં છેલ્લા ઘણા સમયથી કોરોના વાયરસના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. જે એક મોટા રાહતના સમાચાર છે. મુંબઈ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ખૂબ જ ઓછા કેસ નોંધાઈ રહ્યા છે જેને લઈ શહેરોમાં પ્રતિબંધોમાં કેટલીક  છૂટ આપવામાં આવી છે.