મુંબઈઃ કોમેડિયન કપિલ શર્મા અને ઈરફાન ખાનના વિરૂદ્ધ ઓશિવરા પોલિસ સ્ટેશનમાં ગેરકાયેદસર બાંધકાનેલને એમઆરટીપી કાયદાના ઉલ્લંઘનનો કેસ નોંધવામાં આવ્યો છે. મુંબઈના પશ્ચિમી ઉપનગર ગોરેગાંવમાં આવેલ ડીએલએચ એનક્લેપમાં કપિલ શર્મનું ઘર છે. તેમાં મંજૂર બીએમસી પ્લાનમાં ગેરકાયદેસર ફેરફાર જોવા મળ્યા છે. બીએમસીએ આ અંગે 9 સપ્ટેમ્બરે અહેવાલ આપ્યો હતો.

સોમવારે મોડી સાંજે બીએમસી એન્જિનિયર અભય અગતાપે એફઆઈઆર નોંધાવી. ઓશિવરા પોલિસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલ ફરિયાદમાં કપિલ શર્મા પર ડીએલએચ એન્ક્લેવ બિલ્ડિંગના 9માં માળ પર પોતાના ફ્લેટમાં ગેરકાયદેસર બાંધકામનો આરોપ છે. કપિલ શર્માની સાથે જ 5મા માળ પર ફ્લેટના માલિક ઇરફાન ખાનની વિરૂદ્ધ પણ એફઆઈઆર નોંધવામાં આવી છે.