સત્તામાં પીએમ મોદીના 20 વર્ષ પૂરા થવાના અવસરે ભારતીય જનતા પાર્ટીએ આજે એટલે કે 7 ઓક્ટોબરના રોજ શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. પીએમ મોદીએ વર્ષ 2001માં ગુજરાતના મુખઅયમંત્રી તરીકે શપથ લીધા હતા અને હવે તેમની જાહેર સેવાને વીસ વર્ષ થઈ ગયા છે જેમાંથી સાત વર્ષ તેઓ વડાપ્રધાન રહ્યા છે.


ભાજપ આ પ્રસંગને શ્રેણીબદ્ધ પ્રવૃત્તિઓ સાથે ઉજવશે જેમાં જાહેર કાર્યાલયમાં નરેન્દ્ર મોદીના કાર્યો વિશે જાગૃતિ ફેલાવવી અને પ્રધાનમંત્રીના સ્વચ્છ ભારતના વિઝન અનુસાર સ્વચ્છતા અભિયાન હાથ ધરવું શામેલ છે.


એએનઆઈ ન્યૂઝ એજન્સીએ આ સપ્તાહની શરૂઆતમાં ભાજપના કાર્યકરોને ટાંકીને અહેવાલ આપ્યો હતો કે, "પાર્ટીના કાર્યકરો નદીઓની સફાઈ કરીને, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બૂથ લેવલ પર કરવામાં આવેલા કામો અને આવા અન્ય સામાજિક કાર્યક્રમો અંગે લોકોમાં જાગૃતિ ફેલાવીને દિવસ મનાવશે. સાથે જ પાર્ટીના કાર્યકરો દેશના દરેક બૂથ પર લોકોને નીતિઓથી વાકેફ કરશે."


પ્રધાનમંત્રી મોદી દ્વારા કલ્પના કરાયેલ સ્વચ્છ ભારત મિશન ભારતને ગંદકી મુક્ત બનાવવા માટે નદીઓની સ્વચ્છતાને અભિયાનનો અભિન્ન ભાગ માને છે. આ મહિનાની શરૂઆતમાં સ્વચ્છ ભારત 2.0 મિશનની શરૂઆત કરતા મોદીએ કહ્યું કે ભારતના દરેક શહેરોને "જળ-સુરક્ષિત" બનાવવાની યોજના છે જેથી સુનિશ્ચિત કરી શકાય કે નદીઓ ગટર દ્વારા પ્રદૂષિત ન થાય. આ દ્રષ્ટિકોણને અનુરૂપ, ભાજપના કાર્યકરો નરેન્દ્ર મોદીએ તેમની બે દાયકાની જાહેર સેવામાં રજૂ કરેલી નીતિઓના આદરરૂપે દેશની નદીઓને સ્વચ્છ કરવા માટે ગુરુવારે એક અભિયાન હાથ ધરવાનું આયોજન કરી રહ્યા છે.


દેશભરના ગુરુદ્વારાઓમાં 'અરદાસ' પણ કરશે, વડાપ્રધાન મોદીના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરશે અને 'સેવા સમર્પણ' અભિયાનના ભાગરૂપે 'લંગર' નું આયોજન કરવામાં આવશે, જે સપ્ટેમ્બરની શરૂઆતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 71 મી જન્મજયંતિની ઉજવણીના ભાગ રૂપે પાર્ટી હેડક્વાર્ટરમાં શરૂ કરવામાં આવ્યું હતું.