DRDOના વૈજ્ઞાનિક આ વિશે જણાવે છે કે આ દવામાં રક્તસ્ત્રાવને અટકાવવાની ક્ષમતા, અવશોષક ડ્રેસિંગ અને ગ્લિસરેટેડનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બધી જ વસ્તુઓ જંગલ અને દુર્ગમ વિસ્તારમાં થયેલા યુદ્ધ અને આતંવાદી હુમલાની સ્થિતિમાં જવાનોનો જીવ બચાવી શકે છે.
આ મામલે DRDOના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ દવાથી મૃતકોની સંખ્યામાં પણ ઘટાડો કરી શકાય તેમ છે. વૈજ્ઞાનિકો ડીઆરડીઓની પ્રયોગશાળા ઇન્સ્ટિટ્યુટ ઑફ ન્યુક્લિયર મેડિસિન એન્ડ એપ્લાયડ સાયન્સિસમાં દવાઓની તૈયારી કરી રહ્યા છે, આ દવાથી ઇજાગ્રસ્ત થયા પછી, હોસ્પિટલમાં ખેસડવા દરમિયાન તેમને પ્રાથમિક સારવાર તરીકે આ દવાના ઉપયોગથી તેમના જીવિત બચાવી સંભાવના વધી જાય છે. અર્ધલશ્કરી દળો અને સંરક્ષણ કર્મચારીઓ માટે યુદ્ધના સમયમાં ડીઆરડીઓની સ્વદેશી ઉત્પાદિત દવાઓ એક વરદાન છે.