Sharad Pawar Resigns Live: NCP ધારાસભ્ય અનિલ પાટિલે આપ્યું રાજીનામું, કહ્યું- શરદ પવાર જ રહેશે પાર્ટી અધ્યક્ષ

Sharad Pawar Resign News Live: શરદ પવારે NCPના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. ત્યારથી એનસીપીના કાર્યકરો ખૂબ જ નિરાશ છે. તે જ સમયે, હવે NCPના આગામી વડાને લઈને અટકળો પણ તેજ થઈ ગઈ છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 03 May 2023 04:44 PM
આપણે તેમને એક-બે દિવસનો સમય આપવો જોઈએ - પટેલ

એનસીપીના ઉપાધ્યક્ષ પ્રફુલ્લ પટેલે કહ્યું કે શરદ પવારે ગઈ કાલે વારંવાર કહ્યું કે પેઢીગત પરિવર્તન આવવું જોઈએ. કદાચ તેઓ ઇચ્છતા હતા કે નવી પેઢી આગળ વધે. અમારામાંથી કોઈને તેના વિશે અગાઉથી ખબર નહોતી. તેઓએ થોડો સમય માંગ્યો છે અને અમારે તે આપવો જોઈએ. અમારા કેટલાક કાર્યકરો ઈચ્છતા હતા કે તેઓ તેમનું રાજીનામું પાછું ખેંચે. અજિત પવાર, સુપ્રિયા સુલે, હું, છગન ભુજબળ અને અન્ય - અમે આજે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. અમે તેમને ફરીથી વિનંતી કરી, પરંતુ મેં કહ્યું તેમ, આપણે તેમને એક-બે દિવસનો સમય આપવો જોઈએ.

અફવાઓ ન ફેલાવો- પ્રફુલ્લ પટેલ

પ્રફુલ્લ પટેલે જણાવ્યું હતું કે, કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવાયો નથી. ખબર નથી કે તેમના (શરદ પવાર) મનમાં શું છે. હું તમને વિનંતી કરું છું કે અફવાઓ ન ફેલાવો, અટકળો ન કરો. તેમણે કહ્યું કે સુપ્રિયા સુલેનું નામ પણ એક અફવા છે. સવારથી મીડિયામાં જે સમાચાર ચાલી રહ્યા છે તે ખોટા છે. હું પ્રમુખ પદની જવાબદારી લેવા તૈયાર નથી. મને પ્રમુખ પદમાં રસ નથી.

પુણેમાં યોજાનારી વજ્રમુથ રેલી પણ સંકટના વાદળો

એનસીપીમાં ફેરફારને જોતા પૂણેમાં યોજાનારી વજ્રમૂથ રેલીની તારીખનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે. પુણેમાં એક વજ્રમુથ રેલી પણ યોજાવાની હતી, જેની તારીખ જાહેર થવાની હતી, પરંતુ પાર્ટીમાં અધ્યક્ષ પદ માટે ચાલી રહેલા હોબાળાને જોતા તારીખ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હતો.

લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સુધી રહે એનસીપીના વડા - અનિલ પાટીલ

એનસીપીના નેતા અનિલ પાટીલે કહ્યું કે બેઠકમાં અમે બધાએ પવાર સાહેબને લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ ન થાય ત્યાં સુધી અથવા લોકસભા અને રાજ્યસભાની સદસ્યતા બાકી રહે ત્યાં સુધી અધ્યક્ષ રહેવા વિનંતી કરી હતી.  

ધારાસભ્ય અનિલ પાટીલે રાજીનામું આપ્યું

હવે NCP નેતાઓમાં રાજીનામાનો તબક્કો ચાલી રહ્યો છે. ધારાસભ્ય અનિલ પાટીલે પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેઓ NCP વિધાનસભાના મુખ્ય દંડક છે. તેમણે પોતાનું રાજીનામું શરદ પવારને મોકલી આપ્યું છે.

છગન ભુજબળ શરદ પવારને મનાવવા આવ્યા

બેઠક બાદ એનસીપી નેતા છગન ભુજબળે કહ્યું કે તમામ લોકો એનસીપી પ્રમુખ શરદ પવારને મનાવવા અહીં આવ્યા હતા. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન છગન ભુજબળ એક ભડકાઉ અને આક્રમક રાજકારણી તરીકે ઓળખાય છે. તેઓ એનસીપીના અગ્રણી ચહેરાઓમાંના એક છે.

પવાર સાહેબ એનસીપીના વડા રહેશે, તેમને મનાવવામાં આવશે - અનિલ પાટીલ

NCP નેતા અનિલ પાટીલનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે તમામ નેતાઓ કહે છે કે માત્ર પવાર સાહેબ એટલે કે શરદ પવાર જ એનસીપીના વડા રહેશે. હવે બેઠક આગળ ચાલુ રહેશે અને પવાર સાહેબને મનાવવામાં આવશે. તેમણે જણાવ્યું કે આજે સાંજે પણ બેઠક યોજાવાની છે.

જિતેન્દ્ર અવધે રાષ્ટ્રીય મહાસચિવ પદેથી રાજીનામું આપ્યું

એનસીપી નેતા જિતેન્દ્ર અવધે રાષ્ટ્રીય મહાસચિવ પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું કે તેમની સાથેના તમામ રાષ્ટ્રવાદી પદાધિકારીઓએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. બધાએ પોતાનું રાજીનામું જયંત પાટિલને મોકલી દીધું છે. જો કે, અજિત પવારે મંગળવારે (2 મે) પોતે કહ્યું હતું કે પાર્ટીમાંથી કોઈનું રાજીનામું સ્વીકારવામાં આવશે નહીં.

ખળભળાટ નિશ્ચિત છે, અમે સમગ્ર ઘટના પર નજર રાખી રહ્યા છીએ - સંજય રાઉત

ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે કહ્યું કે શરદ પવારનું રાજીનામું દેશની રાજનીતિ માટે એક મોટો ઝટકો છે, પરંતુ જો તેઓ આવો નિર્ણય લેશે તો મહારાષ્ટ્ર અને દેશમાં ચોક્કસપણે ખળભળાટ મચશે. આગામી દિવસોમાં શું થશે તે અમે નક્કી કરીશું. અમે સમગ્ર ઘટના પર નજર રાખી રહ્યા છીએ.

છગન ભૂજબળે કહ્યું- અજિત પવારને મળવી જોઈએ જવાબદારી

એનસીપી નેતા છગન ભૂજબળનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, જો પવાર સાહેબ તેમનો ફેંસોલ પરત ન લે તો મારા મત મુજબ રાજયની જવાબદારી અજિત પવાર અને કેન્દ્રની જવાબદારી સુપ્રિયા સુલેને આપવી જોઈએ.

અજિત પવાર વાયબી ચવ્હાણ સેન્ટર પહોંચ્યા

એનસીપી નેતા અજિત પવાર વાયબી ચવ્હાણ સેન્ટર પહોંચી ચૂક્યા છે.





પરિવારનો કોઈ સભ્ય પ્રમુખ પદ પર રહેશે નહીં

NCPના નેતાઓનો દાવો છે કે પ્રમુખ પદ પર પરિવારનો કોઈ સભ્ય નહીં હોય. હવે કમિટીએ NCPના આગામી પ્રમુખ અંગે નિર્ણય લેવાનો છે.

મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટું પરિવર્તન થશેઃ ભાજપ નેતા દિલીપ ઘોષ

મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ મચી ગઈ છે. હવે ભાજપે તેને વધુ રસપ્રદ બનાવવા માટે નિવેદન બહાર પાડ્યું છે. ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું કે મહારાષ્ટ્રની રાજનીતિમાં 'મોટું પરિવર્તન' થવાનું છે. ભાજપના નેતા ઘોષે કહ્યું કે મહારાષ્ટ્રના રાજકારણમાં લાંબા સમયથી ઉથલપાથલ ચાલી રહી છે. કેટલીક વાતો ચાલી રહી છે અને આ તેનું પરિણામ છે. તેમણે દાવો કર્યો છે કે એનસીપીનું અસ્તિત્વ મુશ્કેલીમાં છે, શરદ પવાર તેમની સત્તા ગુમાવી રહ્યા છે. પવાર જે રીતે સત્તા સાથે ચાલતા હતા, હવે તેઓ ખતરામાં છે. તેમણે રાજ્યની રાજનીતિમાં મોટા પરિવર્તનની વાત કરી છે.

એનસીપીના નવા પ્રમુખની પસંદગી માટેની સમિતિમાં કોનો સમાવેશ થાય છે?

પ્રફુલ્લ પટેલ, સુનિલ તટકરે, કેકે શર્મા, પીસી ચાકો, અજિત પવાર, જયંત પાટીલ, સુપ્રિયા સુલે, છગન ભુજબળ, દિલીપ વાલસે પાટીલ, અનિલ દેશમુખ, રાજેશ ટોપે, જિતેન્દ્ર આવ્હાડ, હસન મુશ્રીફ, ધનંજય મુંડે, જયદેવ ગાયકવાડ, ફૌજિયા ખાન, ડી.એચ. શર્મા, સોનિયા દુહાનનો સમાવેશ થાય છે.

અજિત પવારના ઘરની બહાર NCP નેતાઓની ભીડ

બીજી તરફ અજિત પવારના ઘરની બહાર NCP નેતાઓની ભીડ જોવા મળી રહી છે. ઘણા ધારાસભ્યો પણ તેમને મળવા પહોંચ્યા હતા.

એનસીપીના આગામી અધ્યક્ષને લઈને એનસીપી કાર્યાલયમાં બેઠક યોજાશે

એનસીપી પ્રમુખ શરદ પવારની સાથે તેમની પુત્રી સુપ્રિયા સુલે પણ એનસીપી કાર્યાલયમાં હાજર છે. આ ઉપરાંત એનસીપીના આગામી પ્રમુખની પસંદગી માટે રચાયેલી સમિતિમાં સામેલ નેતાઓ પણ અહીં પહોંચી રહ્યા છે. હવેથી ટુંક સમયમાં મોટો નિર્ણય લેવામાં આવી શકે છે.

બ્રેકગ્રાઉન્ડ

Sharad Pawar:  NCP ચીફ શરદ પવારે મંગળવારે (2 મે) ના રોજ પાર્ટી અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. તેમની જાહેરાત બાદથી મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ આવી ગયો છે. એનસીપીના આગામી અધ્યક્ષ કોણ હશે તેની અટકળો શરૂ થઈ ગઈ છે. જો કે શરદ પવારના આ નિર્ણયનો કાર્યકરોએ વિરોધ પણ કર્યો છે. પવારના રાજીનામા બાદ એનસીપીમાં રાજીનામાનો તબક્કો શરૂ થયો છે. પવાર પર રાજીનામું પાછું ખેંચવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં પવાર રાજીનામું પાછું ખેંચે છે કે પછી પોતાના નિર્ણય પર વળગી રહે છે તે જોવું રસપ્રદ રહેશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.