Maharashtra News: મહારાષ્ટ્ર મંત્રાલયમાં અજિત પવાર જૂથના ધારાસભ્ય અને ડેપ્યુટી સ્પીકર નરહરિ ઝિરવાલ છત પરથી કૂદી ગયા સેફ્ટી જાળમાં ફસાઈ ગયા. ધનગર સમાજને એસટી ક્વોટા હેઠળ અનામત આપવાનો વિરોધ કરતી વખતે તેમણે મંત્રાલયના ત્રીજા માળેથી કૂદકો માર્યો હતો. તેમણે કહ્યું કે તેમની માંગણીઓ સાંભળવામાં આવી રહી નથી, તેથી ગુસ્સામાં તેએ મંત્રાલય પરથી કુદી ગયા.


 






મહારાષ્ટ્રમાં છેલ્લા ચાર દિવસથી આદિવાસી ધારાસભ્યો નારાજ જોવા મળી રહ્યા છે


મહારાષ્ટ્રમાં છેલ્લા ચાર દિવસથી આદિવાસી ધારાસભ્યો નારાજ જોવા મળી રહ્યા છે. આજે (શુક્રવાર, 4 ઓક્ટોબર) કેબિનેટ દિવસ છે અને તમામ ધારાસભ્યો સીએમ એકનાથ શિંદેને મળવાના હતા, પરંતુ ઘણા પ્રયાસો છતાં તેઓ આજે મુખ્યમંત્રીને મળી શક્યા ન હતા. આવી સ્થિતિમાં ગુસ્સે ભરાયેલા ધારાસભ્યએ પોતાની જ સરકારના વિરોધમાં ત્રીજા માળેથી છલાંગ લગાવી દીધી હતી.


નરહરિ ઝિરવલ બાદ અન્ય કેટલાક આદિવાસી ધારાસભ્યો પણ કૂદી પડ્યા


જણાવવામાં આવી રહ્યું છે કે નરહરિ ઝિરવલ બે દિવસ પહેલા મુખ્યમંત્રી એકનાથ શિંદેના ઘરે તેમને મળવા પહોંચ્યા હતા, પરંતુ તેઓ ત્યાં પણ તેમને મળી શક્યા ન હતા. આ પછી, આજે તેઓ ફરીથી મંત્રાલય પહોંચ્યા, જ્યાં તેઓ મુખ્યમંત્રીને મળી શક્યા નહીં. જેના કારણે તેણે આ પગલું ભર્યું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે નરહરિ ઝિરવલ બાદ અન્ય કેટલાક આદિવાસી ધારાસભ્યો પણ કૂદી પડ્યા હતા. જો કે, તે ઝાળી હોવાને કારણે, તમામ નેતાઓનો બચાવ થયો હતો. તમામ નેતાઓ જાળી પર ઉભા રહીને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. હાલમાં પોલીસે તમામને જાળમાંથી બહાર કાઢી લીધા છે.


શિવસેના UBT સાંસદ પ્રિયંકા ચતુર્વેદીનો પલટવાર
તેઓ મરાઠા અને ઓબીસીને પોતાની વચ્ચે લડાવીને પોતાનું રાજકારણ ચમકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, આ તેનું પરિણામ છે. જો મહારાષ્ટ્રમાં નેતાઓની આ હાલત છે તો સામાન્ય લોકોની શું હાલત હશે?


આ પણ વાંચો..


Exclusive: ઈઝરાયેલ સાથેના ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાની રાજદૂતે કહ્યું- 'ઈઝરાયેલ કોઈ દેશ નથી, તે યુએસની...'