નવી દિલ્લી: દિલ્લીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતની મુશ્કેલીઓમાં વધારો થનાર છે. દિલ્લીના એંટી કરપ્શન બ્યૂરો (ACB) એ વૉટર ટેંકર કૌભાંડ મામલે આજે શીલા દીક્ષિતના ઘરે પૂછપરછ કરી હતી. ઘર પર પહોંચેલી ACBની ટીમે શીલા દીક્ષિતથી લગભગ 15 મિનિટ સુધી પુછપરછ કરી હતી. બતાવવામાં આવી રહ્યું છે કે પુછપરછ દરમિયાન ACBએ લગભગ શીલા દીક્ષિતને 18 સવાલ પૂછ્યા હતા.


જ્યારે, દિલ્લીમાં સળંગ દોઢ દશક સુધી શાસન કરનાર શીલા દીક્ષિતે એએનઆઈને જણાવ્યું કે ACBએ 18 સવાલ પૂછ્યા હતા. તેમને જણાવ્યું કે સવાલના જવાબ આપવા માટે કોઈ સમય સીમા નિર્ધારિત કરવામાં આવી નહોતી.

તમને જણાવી દઈએ કે આ મામલો વર્ષ 2011નો છે. આરોપ છે કે દિલ્લીમાં પીવાના પાણીને સપ્લાય માટે ભાડે ટેંકરોને હાયર કરતી વખતે 400 કરોડનો ટેંકર કૌભાંડ થયું હતું.

આ ગોટાશો પહેલી વખત દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની 49 દિવસોની સરકાર વખતે સામે આવ્યો હતો. તે સમયે આપની સરકારે પૂર્વ મુખ્યમંત્રી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના પર હવે નોટિસ મોકલવામાં આવી છે.