Waqf Bill: વકફ બિલ અંગે રચાયેલી સંસદની સંયુક્ત સમિતિની શુક્રવારે બેઠક યોજાઈ હતી. બેઠકમાં ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જી અને ભાજપના સાંસદ નિશિકાંત દુબે વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી. આ પછી બેઠક થોડા સમય માટે મુલતવી રાખવામાં આવી હતી. બન્ને વચ્ચેની દલીલને પગલે થોડીવાર માટે વાતાવરણ ઉગ્ર બની ગયું હતું.

બેઠક 27 ડિસેમ્બર સુધી મુલતવી રાખવામાં આવી

એવું કહેવામાં આવી રહ્યું છે કે કલ્યાણ બેનર્જીએ પૂછ્યું કે આટલી ઉતાવળમાં બેઠક કેમ બોલાવવામાં આવી રહી છે. નિશિકાંત દુબેએ આ અંગે વાંધો ઉઠાવ્યો. આ પછી બંને નેતાઓ વચ્ચે ઉગ્ર દલીલ થઈ. વિવાદ વધ્યા બાદ, 10 વિપક્ષી સાંસદોને સમિતિમાંથી એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બેઠક 27 ડિસેમ્બર સુધી મુલતવી રાખવામાં આવી હતી.

મીરવાઇઝ ઉમર ફારૂક પણ વાંધો ઉઠાવશે

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, કાશ્મીરના ધાર્મિક વડા મીરવાઇઝ ઉમર ફારૂક શુક્રવારે વક્ફ સુધારા બિલ પર સંસદીય સમિતિ સમક્ષ હાજર થશે અને ડ્રાફ્ટ બિલ સામે પોતાનો વાંધો વ્યક્ત કરશે.

સમિતિ શુક્રવારે લોયર્સ ફોર જસ્ટિસ જૂથના મંતવ્યો સાંભળશે

ભાજપના નેતા જગદંબિકા પાલના નેતૃત્વ હેઠળની વકફ સુધારા બિલ પરની સંયુક્ત સમિતિએ વિપક્ષી નેતાઓ દ્વારા વ્યક્ત કરાયેલા વાંધાને પગલે ડ્રાફ્ટ કાયદા પરની ચર્ચા આગામી અઠવાડિયા સુધી મુલતવી રાખી છે. સમિતિ સોમવારે બિલ પર વિગતવાર વિચારણા કરશે. મીરવાઇઝ ઉપરાંત, સમિતિ શુક્રવારે લોયર્સ ફોર જસ્ટિસ જૂથના મંતવ્યો પણ સાંભળશે.

યુડીએફ સાંસદ ફ્રાન્સિસ જ્યોર્જ પોતાના નિવેદનથી પલટી મારી

બીજી તરફ, યુડીએફ સાંસદ ફ્રાન્સિસ જ્યોર્જ, જેમણે વકફ (સુધારા) બિલ 2024 માટે પોતાનો ટેકો જાહેર કર્યો હતો, તેમણે ગુરુવારે પોતાના નિવેદનથી પીછેહઠ કરી. તેમણે કહ્યું કે તેમના નિવેદનનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે. અગાઉ તેમણે કહ્યું હતું કે એક જનપ્રતિનિધિ અને રાજકીય પક્ષના પ્રતિનિધિ તરીકે, તેઓ નવા બિલને સમર્થન આપશે. લોકસભામાં, કોટ્ટાયમના સાંસદ જ્યોર્જે કહ્યું કે તેમણે ક્યારેય કહ્યું નથી કે તેઓ વકફ સુધારા બિલને સમર્થન આપશે. તેમણે સ્પષ્ટતા કરી કે તેમનું વલણ યુડીએફ અને કોંગ્રેસ જેવું જ છે, જેમણે કેરળ વિધાનસભામાં વક્ફ કાયદામાં સુધારો કરવાના કેન્દ્રના નિર્ણય વિરુદ્ધ ઠરાવને સમર્થન આપ્યું હતું.

આ પણ વાંચો...

મહારાષ્ટ્ર: ભંડારા જિલ્લામાં ઓર્ડિનેન્સ ફેક્ટરીમાં બ્લાસ્ટ, 5 કર્મચારીઓના મોત