મુંબઈ: કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ મોટર વાહન નિયમોમાં રસ્તાના નિયમોના ઉલ્લંધન પર દંડમાં વધારો કરવાને યોગ્ય ગણાવતા કહ્યું તેનાથી પારદર્શિતા આવશે. તેમણે કહ્યું ટ્રાફિકના નિયમોના ઉલ્લંધન પર ભારે દંડથી વ્યવસ્થા પારદર્શી થશે, તેનાથી ભ્રષ્ટાચાર નહી થાય.


ટ્રાફિકના નવા નિયમોનું ઉલ્લંધન કરવા પર ભારે દંડ વસુલવાને લઈ ચિંતાઓ વચ્ચે કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ કહ્યું મુંબઈમાં બાંદ્રા-વર્લી સી લિંક પર વધારે સ્પીડમાં ગાડી ચલાવવા પર મને પણ દંડ કરવામાં આવ્યો છે.

ગડકરીએ મોદી સરકાર દ્વારા પ્રથમ 100 દિવસ દરમિયાન કરવામાં આવેલા પ્રમુખ નિર્ણયો વિશે સંવાદદાતો સાથે વાત કરતા કહ્યું જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ 370 રદ્દ કરી અને રાજ્યને કેંદ્ર શાસિત પ્રદેશ બનાવવાનો નિર્ણય સરકારની સૌથી મહત્વપૂર્ણ ઉપલબ્ધિઓમાંથી એક છે. નિતિન ગડકરીએ કહ્યું, 100 દિવસ એક ટ્રેલર છે અને પૂરી ફિલ્મ આગામી પાંચ વર્ષમાં સામે આવશે.