હાઇકોર્ટની ફટકાર બાદ દારૂબંધીને લઈને બિહારમાં નીતીશ કુમારનો નવો કાયદો
abpasmita.in | 02 Oct 2016 05:20 PM (IST)
નવી દિલ્લી: પટના હાઈકોર્ટે દારૂ પર પ્રતિબંધને લઈને નોટિફિકેશનને રદ્દ કર્યું છે, છતા પ્રદેશમાં દારૂ પરનો પ્રતિબંધ આજથી યથાવત રહેશે. દારૂબંધીને લઈને નીતીશ સરકારનો કાનૂન અસરકારક રહેશે પટનામાં સીએમ નીતીશ કુમારે કહ્યું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ની જયંતીની સવારથી નોટિફિકેશનની સાથે આ કાનૂન સ્વાભાવિક રૂપથી લાગુ થઈ જશે. બાપુના વિચારોને અમે ધરતી પર ઉતારવા માંગીએ છીએ, જેના માટે ગાંધી જયંતીથી શુભ અવસર કોઈ ન હોઈ શકે. પટના હાઈકોર્ટ દ્વારા શુક્રવારે દારૂબંધીને લઈને નોટીફિકેશન રદ્દ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નીતીશ સરકારમાં ખળભળાટ મચી ગયો હતો. તાત્કાલિક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી હતી જેમાં હાઈકોર્ટના આદેશ પર સમીક્ષા કરવામાં આવી હતી.