લદ્દાખમાં અત્યાર સુધી કોરોનાના 13 કેસ સામે આવી ચૂક્યા છે, જેમાં 4 કેસ નેગિટીવ આવ્યા છે, અને બાકીના ચારની સારવાર ચાલી રહી છે.
લદ્દાખના કમિશ્નર સેક્રેટરી રિગઝીન સેન્પલ અનુસાર, રાજ્યમાં મોટા પાયે ડબલ એક્શન સાથે કોરોનો સામે જંગ લડાઇ રહી છે. આ કારણે છેલ્લા 10 દિવસથી રાજ્યમાં કોરોનાનો એકપણ પૉઝિટીવ કેસ સામે આવ્યો નથી.
તેમના અનુસાર લદ્દાખમાં પહેલા લૉકડાઉન અને બાદમાં કૉમ્યુનિટી આઇસૉલેશનનો ઉપયોગ થયો, આ કારણે અમે કોરોનો સામે યોગ્ય રીતે મુકાબલો કરી શક્યા છીએ.
દેશભરમાં અત્યાર સુધી 1139 લોકો સંક્રમિત છે અને 30 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવી દીધો છે. આ સ્થિતિને નિપટવા માટે મોદી સરકારે 11 કમિટીનુ ગઠન કર્યુ છે.