નવી દિલ્હીઃ દેશમાં આજથી અનલોક-2ની શરૂઆત થઈ છે. 1 જૂનના રોજ અનલોક-1ની જાહેરાત કરવામાં આવ્યા બાદ કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળ્યો છે. દેશમાં છેલ્લા પાંચ દિવસથી 18 હજારથી વધારે કોરોના વાયરસના મામલા નોંધાયા છે.


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 18,653 નવા કેસ નોંધાયા છે અને 507 લોકોના મોત થયા છે. દેશમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 5,85,493 પર પહોંચી છે અને 17,400 લોકોના મોત થયા છે. 3,47,979 લોકો સાજા થઈ ગયા છે 2,20,114 એક્ટિવ કેસ છે.



કોરોના સંક્રમિતોની સંખ્યાના હિસાબે ભારત વિશ્વનો ચોથો સૌથી પ્રભાવિત દેશ છે. અમેરિકા, બ્રાઝીલ, રશિયા બાદ કોરોના મહામારીથી સૌથી વધારે દેશોમાં ભારત ચોથા સ્થાન પર છે.

અમેરિકા અને બ્રાઝીલ બાદ એક દિવસમાં સૌથી વધારે મામલા ભારતમાં નોંધાયા છે.