Pahalgam Terror Attack Live: પહલગામ હુમલામાં સાત આતંકીઓ સામેલ હોવાનો સૂત્રનો દાવો, હુમલાખોરોના સ્કેચ જાહેર કરાયા

Pahalgam Terror Attack Live: તેઓ સાઉદી અરેબિયાનો પ્રવાસ અધવચ્ચે જ છોડીને જેદ્દાહથી દિલ્હી પરત ફર્યા હતા.

gujarati.abplive.comLast Updated: 23 Apr 2025 06:32 PM

બ્રેકગ્રાઉન્ડ

Pahalgam Terror Attack Live: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાને લઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક્શનમાં છે. તેઓ સાઉદી અરેબિયાનો પ્રવાસ અધવચ્ચે જ છોડીને જેદ્દાહથી દિલ્હી પરત ફર્યા હતા....More

પહેલગામ હુમલા પર સલમાન ખાન લાલઘૂમ

પહેલગામ આતંકવાદી હુમલા પર એક પછી એક સ્ટાર્સની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. શાહરૂખ ખાન પછી હવે સલમાન ખાને પણ આ હૃદયદ્રાવક હુમલા પર પોસ્ટ કરી છે. X પર પોસ્ટ કરતી વખતે, સલમાન ખાને કહ્યું છે કે એક નિર્દોષ વ્યક્તિને મારવા એ આખી દુનિયાને મારવા બરાબર છે.



સલમાન ખાને એક્સ-કાશ્મીર પર લખ્યું હતું કે જેને સ્વર્ગ કહેવામાં આવે છે તે નર્કમાં ફેરવાઈ રહ્યું છે. નિર્દોષ લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, મારી સંવેદના તેમના પરિવારો સાથે છે. એક પણ નિર્દોષ વ્યક્તિને મારવા એ આખા બ્રહ્માંડને મારવા બરાબર છે.