નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવી રાજ્યનું પુન:ગઠન કરવાના ભારત સરકારના નિર્ણયથી પાકિસ્તાન ફફડી ઉઠ્યું છે. પાકિસ્તાનના વડાપ્રધાન એક પછી એક ભારત વિરોધી નિર્ણય લઈ રહ્યાં છે. સમજોતા એક્સપ્રેસ અને થાર એક્સપ્રેસ રોકવાની જાહેરાત બાદ હવે પાકિસ્તાને લાહોર-દિલ્હી બસ સેવા પર રોક લગાવી દીધી છે.




ઉલ્ખનીય છે કે આ પહેલા પાકિસ્તાને સમજોતા એક્સપ્રેસ રોકી દીધી હતી. પાકિસ્તાને પોતાના ડ્રાઇવર અને ટ્રેન ડ્રાઇવર અને ગાર્ડને સમજોતા એક્સ્પ્રેસ સાથે મોકલવાની ના કહી દીધી હતી. તેના બાદ મુનાબાવ-ખોખરાપાર ટ્રેન સેવા પણ રદ્દ કરી દીધી છે. આ સાથે જ થાર એક્સપ્રેસ રોકવાનો તેણે નિર્ણય કર્યો છે. રાજસ્થાનનાં જોધપુરથી થાર એક્સપ્રેસ પાકિસ્તાન જાય છે.