નવી દિલ્હી: મોદી સરકાર દ્વારા જમ્મુ કાશ્મીરમાં ધારા 370 હટાવવાને લઈને ઉઠાવવામાં આવેલા ઐતિહાસિક પગલાનું દેશભરમાં સ્વાગત થઈ રહ્યું છે.  કલમ 370 નો ખાત્મો થતા દિલ્હીમાં સંસદ ભવનને ભવ્ય રોશનીથી શણગારવામાં આવ્યું છે. લોકસભા અધ્યક્ષે ગૃહને LED લાઈટ્સથી શણગારવાના આદેશ આપ્યા હતા.


ઉલ્લેખનીય છે કે રાજ્યસભામાંથી જમ્મુ કાશ્મીર પુનઃગઠન બિલ પાસ થઇ ગયું છે. બિલના પક્ષમાં 125 અને વિરોધમાં 61 મત પડ્યા હતા. આ બિલમાં જમ્મુ કાશ્મીરને લદાખ અલગ કરી અને બંન્નેને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવાની જોવગાઇ છે.