સંસદનું વર્તમાન સત્ર 7 ઓગસ્ટ સુધી લંબાવાયું, કેબિનેટ કમિટીએ લીધો નિર્ણય
abpasmita.in | 25 Jul 2019 07:06 PM (IST)
સરકારનો આશય છે કે આ સત્રમાં વધુમાં વધુ વિધેયકોન પાસ કરવામાં આવે. જે મહત્વપૂર્ણ બિલોને પાસ કરાવવામાં આવ્યા છે. તેમાં ત્રિપલ તલાક, રાષ્ટ્રીય મેડિકલ આયોગ બિલ, સેરોગેસી બિલ અને ટ્રાન્સજેન્ડર અધિકાર બિલ સામેલ છે.

નવી દિલ્હી: સંસદમાં પેન્ડિંગ પડેલા કામકાજને લઈને સરકારે સંસદ સત્ર 7 ઓગસ્ટ સુધી લંબાવાનો નિર્યણ લીધો છે. સરકારે સંસદનું વર્તમાન સત્ર 12 દિવસ સુધી લંબાવ્યું છે. સંસદ સત્રની તારીખ વધારવા માટે રક્ષામંત્રી રાજનાથ સિંહના નેતૃત્વમાં કમેટી ઑન પોલિટિકલ અફેર્સની બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો. 15 જૂથી શરૂ થયેલા સંસદનું વર્તમાન સત્ર પહેલા નક્કી કરેલા સમય પ્રમાણે 26 જુલાઈએ સમાપ્ત થવાનું હતું. આ સત્ર છેલ્લા 20 વર્ષોમાં સૌથી વધુ કામકાજ કરનારું સત્ર બની ગયું છે. સરકારનો આશય છે કે આ સત્રમાં વધુમાં વધુ વિધેયકો પાસ કરવામાં આવે. જે મહત્વપૂર્ણ બિલોને પાસ કરાવવામાં આવ્યા છે. તેમાં ત્રિપલ તલાક, રાષ્ટ્રીય મેડિકલ આયોગ બિલ, સેરોગેસી બિલ અને ટ્રાન્સજેન્ડર અધિકાર બિલ સામેલ છે. ખેડૂતો માટે આવ્યા સમાચાર, વરસાદ ખેંચાતા રૂપાણી સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણયપગારમા ઘટાડો કરવાના સરકારના આદેશથી વૈજ્ઞાનિકો દુખી, ISROના ચેરમેનને લખ્યો પત્ર