બિપિન રાવતે કહ્યું, દુશ્મન બીજી કોઈ હિમાકત નહીં કરે. 1999માં પાકિસ્તાની સેનાએ મોટી ભૂલ કરી હતી, અને તેને ભારતની સરકાર અને સેનાએ જે જડબાતોડ જવાબ આપ્યો હતો તેને તેઓ ભૂલ્યા નથી.
પુલવામા હુમલા અંગે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના નિવદેને ખોટું ગણાવતા જનરલ બિપિન રાવતે કહ્યું કે જે પણ થયું છે તેના પુરતા પુરાવા ભારતીય સેના પાસે છે. પુલવામાં શું થયુ તેના અનેક પુરાવા આપણી ઈન્ટેલીજેન્સ એજન્સીઓએ અમને આપ્યા છે. અમે સચ્ચાઈથી વાકેફ છે. અમે કોઈ પણ નિવેદનથી બહેકાવમાં નહીં આવીએ.