Nagpur News: મહારાષ્ટ્રના નાગપુરના મિહાનમાં પતંજલિનો મેગા ફૂડ એન્ડ હર્બલ પાર્ક તૈયાર છે. રવિવારે 9 માર્ચે રોડ ટ્રાન્સપોર્ટ, સ્ટેટ હાઈવે મંત્રી નીતિન ગડકરી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ આ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. પતંજલિ મેગા ફૂડ એન્ડ હર્બલ પાર્ક ઓરેન્જ પ્રોસેસિંગ માટે એશિયાનો સૌથી મોટો પ્લાન્ટ હશે.
પતંજલિ આયુર્વેદ લિમિટેડના એમડી આચાર્ય બાલકૃષ્ણે આજે મિહાનમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે, "નાગપુરની આ ભૂમિ આધ્યાત્મિકતા અને ક્રાંતિની ભૂમિ છે. આ જમીન દેશ અને બંધારણને નક્કર સ્વરૂપ આપવા જઈ રહી છે. હવે આ જમીન પરથી પતંજલિની નવકૃષિ ક્રાંતિ દ્વારા દેશના ખેડૂતોની સમૃદ્ધિના દ્વાર ખુલશે. તેમણે જણાવ્યું કે આ પ્લાન્ટ ફૂડ પ્રોસેસિંગનું સિંગલ પોઈન્ટ અને એશિયાનું સૌથી મોટુ યુનિટ છે.
ઝીરો વેસ્ટેજ સિસ્ટમ પર કામ કરે છે આ પ્લાન્ટ- આચાર્ય બાલકૃષ્ણ
આચાર્ય બાલકૃષ્ણએ વધુમાં જણાવ્યું હતું કે, “અમે આ પ્લાન્ટ સ્થાપીને ગર્વ અનુભવીએ છીએ. જો કે, કોરોનાના સમયગાળાને કારણે પ્લાન્ટ શરૂ કરવામાં ઘણી અડચણો આવી, તેમણે કહ્યું, "પ્લાન્ટની પ્રતિ દિવસ 800 ટનની પ્રોસેસિંગ ક્ષમતા છે, જેમાં અમે A ગ્રેડ સાથે B અને C ગ્રેડના સંતરા, પ્રિ-મેચ્યોર પ્રોડક્શન અને વાવાઝોડાને કારણે પડેલા સંતરાને પ્રોસેસ કરીએ છીએ."
તેમણે કહ્યું કે અમારો પ્લાન્ટ ઝીરો વેસ્ટેજ સિસ્ટમ પર કામ કરે છે. અમારું કામ સંતરાની છાલથી શરૂ થાય છે, જેમાં અમે સંતરાની છાલમાંથી વોલિટાઈલ અને સુગંધિત તેલ કાઢીએ છીએ.
મૈનપાવ સ્કિલ તૈયાર કરવામાં મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યું છે પતંજલી-આચાર્ય બાલકૃષ્ણ
આચાર્ય બાલકૃષ્ણએ કહ્યું કે આ પ્લાન્ટ માટે અમે વિદેશી ટેક્નોલોજી અને સમગ્ર સિસ્ટમ પર રિસર્ચ કર્યું, કારણ કે આટલો મોટો પ્લાન્ટ માત્ર જ્યૂસના આધારે ચલાવી શકાય નહીં. અમે તેના બોય પ્રોડક્ટ્સ પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું. આ પ્લાન્ટને તમારી સામે જમીન પર લાવવામાં અમારો ઘણો સમય અને મહેનત લાગી છે. તેમણે કહ્યું, "પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વપ્ન દેશમાં કૌશલ્ય પ્રશિક્ષણ કાર્યક્રમો ચલાવીને માનવશક્તિનું કૌશલ્ય બનાવવાનું છે, જેમાં પતંજલિ અગ્રણી ભૂમિકા ભજવી રહી છે."