શું 2 લાખ રૂપિયાથી વધારે રકમનું સોનું ખરીદવા પર આપવા પડશે પુરાવા? સરકારે કર્યો ખુલાસો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 09 Jan 2021 11:11 AM (IST)
સોશિયલ મીડિયા પર એેવું કહેવામાં આવ્યું છે કે, 2 લાખથી ઉપરની રોકડ રકમમાં સોનું ખરીદવા પર કેવાઈસી કરાવવું ફરજિયાત હશે.
સોનાના આભૂષણની ખરીદીને લઈને વિતેલા સપ્તાહે સોશિયલ મીડિયા પર એક અહેવાલ વાયરલ થયા હતા કે નાની રમકનું સોનું ખરીદવા પર પણ તમારે પાન અને આધાર કાર્ડ આધારિત કેવાઈસી કરાવવી જરૂરી હશે. સરકારના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરોએ આ દાવાને ભ્રામક ગણાવ્યો છે. પીઆઈબી તરફતી સ્પષ્ટતા કરવામાં આવ્યું છે કે, આવી કોઈપણ પ્રકારના જાહેરાત કરવામાં આવી નથી. પીઆઈબીએ કહ્યું કે, નોટિફિકેશન અનુસાર માત્ર 10 લાખ રૂપિયાથી વધારાની રકમનું સોનું ખરીદવા પર જ કેઆઈવી કરાવવી જરૂરી છે. જ્યારે સોશિયલ મીડિયા પર એેવું કહેવામાં આવ્યું છે કે, 2 લાખથી ઉપરની રોકડ રકમમાં સોનું ખરીદવા પર કેવાઈસી કરાવવું ફરજિયાત હશે. નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.