નવી દિલ્લી: વડાપ્રધાન નરેંદ્ર મોદીએ કેરલના કોઝીકોડમાં પાકિસ્તાનને આડે હાથ લેતા કહ્યું કે પાકિસ્તાનના લોકોએ ત્યાના નેતાઓને પૂછવુ જોઈએ કે એક સાથે આઝાદી મળી છતાં ભારત સોફ્ટવેરની નિકાશ કરે છે, જ્યારે પાકિસ્તાન કેમ આતંકવાદની નિકાશ કરે છે.

વડાપ્રધાને કહ્યું કે  ભારત પાકિસ્તાન સાથે લડવા માંગે છે, જો પાકિસ્તાનમાં હિંમ્મત હોય તો ગરીબી,બેરોજગારી અને શિક્ષા માટે લડત કરે, ત્યાર પછી જોઈએ કોની જીત થાય છે.