નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ દેશમાં કોવિડ-19ની વર્તમાન સ્થિતિને લઈને મંગળવારે સાંજે સર્વદળીય બેઠકનું આયોજન કર્યું હતું. કૉંગ્રેસ, માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ અને શિરોમણિ અકાળી દળ સહિત કેટલીક અન્ય રાજકીય પાર્ટીઓએ આ બેઠકનો બહિષ્કાર કર્યો હતો. આ બેઠકમાં શિવસેના, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી, ઓલ ઈન્ડિય અન્ના દ્રવિડ મુનેત્ર કષગમ, બીજૂ જનતા દળ, વાઈએસઆર કૉંગ્રેસ, લોક જનશક્તિ પાર્ટી, જનતા દળ(યૂનાઈટેડ) જનતા દળ(સેક્યૂલર) તેલંગણા રાષ્ટ્ર સમિતિ, તમકલ મનીલા કૉંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી સહિત કેટલાક અન્ય પક્ષોના પ્રતિનિધિઓએ બેઠકમાં ભાગ લીધો હતો.


દિલ્હીની સત્તાધારી આમ આદમી પાર્ટીએ પણ બેઠકનો બહિષ્કાર કર્યો હતો. આ બેઠકમાં પ્રધાનમંત્રી સિવાય રાજ્યસભામા સદનના નેતા પીયૂષ ગોયલ, કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ ઉપસ્થિત હતા. સંસદના ચોમાસા સત્રની શરુઆત પહેલા પત્રકારો સાથે ચર્ચામાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે કોવિડ-19 સહિત તમામ મુદ્દાઓ પર આ સત્ર સાર્થક ચર્ચા માચે સમર્પિત હોય કારણ કે જનતા ઘણા મુદ્દાઓ પર જવાબ ઈચ્છે છે. તેમણે કહ્યું કે તેના માટે સરકાર પૂરી રીતે તૈયાર છે.


બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અંતમાં એક નાનુ ભાષણ આપતા ઉલ્લેખ કર્યો કે, કોવિડનો મજબૂતી સાથે સામનો કરવામાં આવી રહ્યો છે. કોરોનાના સંદર્ભમાં ભારતની સ્થિતિ બાકી દુનિયા કરતા સારી છે. પ્રધાનમંત્રીએ કહ્યુ કે, રાજ્યોએ રાજનીતિથી ઉપર ઉઠી એક ટીમના રૂપમાં કામ કરવું જોઈએ. લોકસભાના એક સભ્યએ કહ્યુ કે, આજની બેઠકમાં વિશેષ રૂપથી કોવિડની સ્થિતિ પર વિસ્તૃત ચર્ચા થઈ છે. 


પીએમ મોદીએ બંને ગૃહના નેતાઓને મંગળવારની સાંજે થોડો સમય કાઢવાનો આગ્રહ કર્યો હતો અને કહ્યુ હતુ કે તે મહામારી સંબંધમાં વિસ્તૃત જાણકારી તમને આપવા ઈચ્છે છે. કોંગ્રેસે પહેલા કહી દીધુ હતુ કે તે કોવિડ-19 પર બધી પાર્ટીઓના ગૃહના નેતાઓની સાથે થનારી સરકારની બેઠકમાં સામેલ થશે નહીં. અકાલી દળે પણ આ વાત કહી હતી.