= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
60 વર્ષ બાદ દેશની જનતાએ ઈતિહાસ રચ્યો પ્રધાનમંત્રી મોદીએ GMDC ગ્રાઉન્ડ ખાતે જનમેદનીને સંબોધતા કહ્યું, 60 વર્ષ બાદ દેશની જનતાએ ઈતિહાસ રચ્યો, સતત ત્રીજી વખત એક જ સરકારને કામ કરવાની તક પૂરી પાડી છે. ત્રીજી ટર્મમા અભૂતપૂર્વ નિર્ણયો લેવાની મે ગેરંટી આપી હતી.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
PM મોદીએ ગુજરાતને અનેક વિકાસકાર્યોની ભેટ આપી છે. PM મોદીએ ગુજરાતને અનેક વિકાસકાર્યોની ભેટ આપી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
પ્રધાનમંત્રી મોદીનું ભવ્ય સ્વાગત અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે પ્રધાનમંત્રી મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
લીલી ઝંડી બતાવી PM મોદીએ મેટ્રો ટ્રેનનું કરાવ્યું પ્રસ્થાન, ટ્રેનમાં કરી મુસાફરી પીએમ મોદીએ આજે તેમના જન્મદિવસ પૂર્વે ગુજરાતને મોટી ભેટ આપી છે. અમદાવાદ અને ગાંધીનગરને જોડતી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું છે. આ સાથે તેઓએ ટ્રેનમાં પ્રવાસ પણ કર્યો. તેમની સાથે 150 લોકો પણ આ ટ્રેનના ઉદ્ધઘાટન સમયે પ્રવાસ કર્યો. ગાંધીનગર સેક્ટર-1 મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સિટી સુધી તેઓ મુસાફરી કરી,
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
જન્મદિવસના એક દિવસ પહેલા PM મોદીની ગુજરાતને મોટી ભેટ જન્મદિવસના એક દિવસ પહેલા PM મોદીની ગુજરાતને મોટી ભેટ મળી છે. પીએમ મોદીએ આજેગાંધીનગર-અમદાવાદના નાગરિકોને મેટ્રો ટ્રેનની ભેટ આપી છે. આજથી મેટ્રો ટ્રેન ગાંધીનગરથી અમદાવાદ દોડશે. આજે તેઓ ગાંધીનગર-અમદાવાદ વચ્ચેની મેટ્રો ટ્રેનને લીલીઝંડી આપશે, આટલું જ નહિ તેઓ ગાંધીનગર સેક્ટર-1 મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સિટી સુધી ટ્રેનમાં મુસાફરી પણ કરશે. 150 જેટલા લોકો PM સાથે મેટ્રો ટ્રેનની મુસાફરી કરશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
જન્મદિવસના એક દિવસ પહેલા PM મોદીની ગુજરાતને મોટી ભેટ પીએમ મોદીના જન્મદિવસની પૂર્વે ગાંધીનગર-અમદાવાદના રહિશોને મેટ્રો ટ્રેનની ભેટ મળી છે. થોડીવારમાં PM ગાંધીનગર-અમદાવાદ વચ્ચેની મેટ્રો ટ્રેનને પીએમ મોદી લીલીઝંડી આપશે, ગાંધીનગરથી અમદાવાદ હવે મેટ્રો દોડશે. ગાંધીનગરના મેયર અને ડે.મેયર પણ PM સાથે આજે આ મેટ્રોમાં મુસાફરી કરશે, ગાંધીનગરના 150 જેટલા લોકો PM સાથે મેટ્રો ટ્રેનની મુસાફરી કરશે,.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
મહાત્મા મંદિરથી PM મોદીએ સમિટનું કર્યુ ઉદ્ધાટન ગ્લોબલ રિ-ઈન્વેસ્ટ સમિટ અને એક્સ્પોનું પીએમ મોદીએ ઉદ્ધાટન કર્યું. આ અવસરે સમિટને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું કે, એનર્જીના ફ્યુચર, ટેક્નોલોજી,પોલિસી પર ગંભીર ચર્ચા થશે. જે પણ વિચારીશુ માનવતા માટે ઉપયોગી બનેશ. દેશની જનતાએ સાત વર્ષ સુધી આ જ સરકાર પર વિશ્વાસ દેખાડ્યો, દેશના તમામ વર્ગોને અમારી સરકાર પર વિશ્વાસ છે. વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનાવવા દેશવાસીઓનો પ્રયાસ છે. ત્રીજી સરકારના 100 દિવસમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયાછે. દેશના ઝડપી વિકાસ માટેના મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે. છેલ્લા 100 દિવસમાં 12 નવા ઈન્ડસ્ટ્રીયલ શહેરો બનાવવાના નિર્ણય લેવા. અને બાયો ઈ-3 પ્રોજેક્ટને મંજૂરી આપી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
10 હજાર પ્રતિનિધિ સમિટમાં ઉપસ્થિત ગ્લોબલ રિ-ઈન્વેસ્ટ સમિટમાં કુલ કુલ 40 સત્ર યોજાશે. સમિટમાં 200થી વધુ સ્પીકર ઉપસ્થિત રહેશે.સમિટમાં 100થી વધુ એક્સ્પોનું પ્રદર્શન હશે, પીએમ મોદીએ સમિટના વિવિધ પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું. નોંધનિય છે કે, મોદી સરકારનું ક્લિન ગ્રીન ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાનું લક્ષ્ય છે. 2030 સુધીમાં 500 GW જેટલી પુનઃપ્રાપ્ય ઊર્જાના ઉત્પાદનનું લક્ષ્ય છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ત્રણ દિવસીય ગ્લોબલ રિ-ઈન્વેસ્ટ મીટના કાર્યક્રમમાં 40થી વધુ સત્રો પીએમ મોદી થોડા સમયમાં જ મહાત્મા મંદિર પહોંચશે અહીં તેઓ થી ચોથી ગ્લોબલ રિ-ઈન્વેસ્ટ મીટ અને એકસ્પોનું ઉદ્ધાટન કરશે. ત્રણ દિવસીય ગ્લોબલ રિ-ઈન્વેસ્ટ મીટના કાર્યક્રમમાં 40થી વધુ સત્રો, પાંચ પ્લેનરી ચર્ચાઓ કરાશે, 115થી વધુ B2B બેઠકો યોજાશે, કાર્યક્રમમાં 25 હજાર પ્રતિનિધિઓ, 200થી વધુ સ્પીકર્સ ભાગ લેશે.ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, જર્મની અને નોર્વે સહભાગી દેશો, યુએસએ, યુકે, બેલ્જિયમના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ હાજરી આપશે.ઓમાન અને UAEના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ ઉપસ્થિત રહેશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
PM નરેન્દ્ર મોદી વાવોલથી રવાના પીએમ મોદી વાવોલથી રવાના થઇ ગયા છે. તેઓ થોડી મિનિટમાં મહત્મા મંદિર પહોંચશે વાવોલમાં તેઓએ શાલિન-2 સોસાયટીના PM સૂર્યઘર મફ્ત વીજળી યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ હતો. તેઓ આજે ચોથી ગ્લોબલ રિ-ઈન્વેસ્ટ સમિટ અને એક્સ્પોનું ઉદ્ધાટન કરશે. જે ત્રણ દિવસ સુધી ચાલશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
થોડી જ મિનિટોમાં PM મોદી પહોંચશે મહાત્મા મંદિર પીએમ મોદીનો આજે ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે તેઓ આજે ચોથી ગ્લોબલ રિ-ઈન્વેસ્ટ સમિટ અને એક્સ્પોનું ઉદ્ધાટન કરશે. નોંધનિય છે કે, ત્રણ દિવસ રિ-ઈન્વેસ્ટ સમિટ યોજાશે
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
PM નરેન્દ્ર મોદી વાવોલ પહોંચ્યા PM નરેન્દ્ર મોદી વાવોલ પહોંચ્યા છે. અહીં તેઓ PM સૂર્યઘર મફ્ત વીજળી યોજનાના લાભાર્થીઓ સાથે મુલાકાત કરશે.. તેઓ આ યોજનાનો લાભ લેનાર સાથે સંવાદ કરશે. અને આ યોજનાથી શું ફાયદો થયો તે વિશે જાણવાની કોશિશ કરશે. તેઓ વાવોલની શાલિન-2 સોસાયટી પહોંચ્યા છે. જ્યા પીએમ સૂર્યઘર મફત યોજાના લાભાર્થીઓ છે. પીએમ મોદીના આગમનને લઇને વાવોલમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
PM મોદી ગુજરાતને આપશે 8 હજાર કરોડના વિકાસકાર્યોની ભેટ પીએમ મોદી બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ ગુજરાતને 8 હજાર કરોડના વિકાસકાર્યોની ભેટ આપશે. મહાત્મા મંદિર પર ચોથી રિન્યુએબલ એનર્જી પરિષદ અને એકસ્પોનું ઉદ્ધાટન કરશે. બપોરે 12 વાગ્યે તેઓ રાજભવનમાં ભોજન લેશે. બપોરે 2 વાગ્યે સેક્ટર-1થી ગિફ્ટ સિટી સુધી મેટ્રો રેલમાં પ્રવાસ કરશે. સાંજે 4 વાગ્યે GMDC ગ્રાઉન્ડથી વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને ઉદ્ધાટન કરશે. GMDC પહોંચવા નાગરિકો માટે AMTSની 900 બસ ફાળવાઈ છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
પ્રધાનમંત્રી મોદી રાજભવનથી વાવોલ જવા રવાના પ્રધાનમંત્રી મોદીનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. રાજભવનથી વાવોલ જવા રવાના થયા છે. વાવોલમાં PM સૂર્યઘર મફત વીજળી યોજનાના લાભાર્થીઓ સાથે મુલાકાત કરશે. લાભાર્થીઓના ઘરે પહોંચી તેમની સાથે PM મોદી સંવાદ કરશે. ગાંધીનગરના વાવોલમાં આવેલી શાલિન-2 સોસાયટીમાં PM મોદી પહોંચશે. શાલિન-2 સોસાયટીમાં સોલાર રૂફ ટોપ લગાવેલા ઘરની મુલાકાત લેશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
મેટ્રો રેલ સેવાના બીજા તબક્કામાં ગાંધીનગરનો સમાવેશ કરવામાં આવશે. ભારતની પ્રથમ 20 કોચવાળી વંદે ભારત ટ્રેન વારાણસી અને દિલ્હી વચ્ચે દોડશે. પીએમ મોદી ગાંધીનગરમાં મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવીને મેટ્રો રેલ સેવાના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે. ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીને બીજા તબક્કામાં મેટ્રો રેલ સેવા સાથે જોડવામાં આવશે. વડાપ્રધાન કચ્છ લિગ્નાઈટ થર્મલ પાવર સ્ટેશન, કચ્છમાં 30 મેગાવોટ સોલાર સિસ્ટમ, 35 મેગાવોટ બેસ સોલર પીવી પ્રોજેક્ટ અને મોરબી અને રાજકોટમાં પાવર સબસ્ટેશનનું પણ ઉદ્ઘાટન કરશે.
રવિવારે સાંજે અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ X પર પોસ્ટમાં લખ્યું હતું કે "ઝારખંડમાં યાદગાર કાર્યક્રમો પછી હું અમદાવાદ પહોંચ્યો. હું 16 સપ્ટેમ્બરે ગાંધીનગર અને અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈશ.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
પીએમ મોદી ગાંધીનગરને મેટ્રો ભેટ આપશે પ્રથમ તબક્કામાં ગાંધીનગરના આઠ સ્ટેશનોને મેટ્રો રેલ સેવા સાથે જોડવામાં આવશે. તેમાં મેટ્રો ટ્રેન સચિવાલય, અક્ષરધામ, જીવરાજ મહેતા ભવન (જૂનું સચિવાલય), સેક્ટર 16, સેક્ટર 24 અને મહાત્મા મંદિર સ્ટેશનનો સમાવેશ થશે.
ગાંધીનગરમાં મેટ્રો રેલના બીજા તબક્કામાં ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી, ગુજરાત ઇન્ફો ટેક સિટી, રાયસણ ગામ, ઇન્ફોસિટી અને અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે સ્થિત સેક્ટર 1ને જોડવામાં આવશે. અમદાવાદના મોટેરાથી મેટ્રો ટ્રેન સીધી ગાંધીનગરના આઠ સ્ટેશનો પરથી દોડશે.