BJP સ્થાપના દિવસ પર PM મોદીએ કહ્યું- 21મી સદીમાં જન્મ લેનારા યુવા ભાજપ સાથે

ભાજપના સ્થાપના દિવસ પર પીએમ મોદીએ સંબોધન કર્યું.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 06 Apr 2021 10:44 AM
ભાજપના વિરોધીઓનું પણ કરું છુ સન્માન

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, જે લોકો બીજેપીના ઘોર વિરોધીઓ છે હું તેમનું પણ સન્માન કરું છું. પદ્મ પુરસ્કારને લઈ અમારી સરકારે જે કામ કર્યુ છે તે ઐતિહાસિક છે.

બીજેપીનો મતલબ દેશહિત

મોદીએ કહ્યું ભાજપ પાસે કાર્યકર્તાઓની ફોજ છે. જે જમીન પર રહીને કામ કરે છે પરંતુ ફ્રંટમાં દેખાતા નથી. બીજેપી વિશ્વની સૌથી મોટી પાર્ટી છે. બીજેપીનો મતલબ દેશહિત છે. બીજેપીનો મતલબ વંશવાદ-પરિવારવાદની રાજનીતિથી મુક્તિ છે.

કટોકટીમાં ભાજપના અનેક નેતાને જેલમાં નાંખી દેવાયા હતા

પીએમ મોદીએ કહ્યું કે, દેશમાં રાજકીય સ્વાર્થ માટે પક્ષ છોડી દે છે. પણ ભાજપમાં ક્યારેય આમ થયું નથી. કટોકટીના સમયે ભાજપના અનેક નેતાઓને જેલમાં નાંખી દેવામાં આવ્યા હતા.

કલમ 370ને લઈ શું કહ્યું

ડો. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાનની શક્તિના કારણે આપણે તે સપનું પૂરું કરી શક્યા છીએ. કલમ 370ને હટાવીને કાશ્મીરને બંધારણીય અધિકાર આપી શક્યા.

કોરોનાને લઈ શું બોલ્યા મોદી

ગત વર્ષે કોરોનાએ સમગ્ર દેશમાં અભૂતપૂર્વ સંકટ ઉભું કર્યુ હતું. ત્યારે આપણે સુખ દુખ ભૂલીને દેશાવાસીઓની સેવામાં લાગ્યા રહ્યા હતા. સેવા જ સંગઠનનો સંકલ્પ લીધો અને તે માટે કામ કર્યું

કોને કોન આપી શ્રદ્ધાંજલિ

ડો.શ્યામાપ્રસાદ મુખર્જી, પંડિત દિનદયાળ ઉપાધ્યાય, અટલ બિહારી વાજપેયી, કુશાભાઉ ઠાકરે, રાજમાતા સિંધિયા સહિત અગણિત વ્યક્તિઓને ભાજપના પ્રત્યેક કાર્યકર્તાઓ તરફથી હું શ્રદ્ધાસુમન આપું છું.

સેવા અને સમર્પણ સાથે કામ કરે છે પાર્ટી

મોદીએ ભાજપ સ્થાપના દિવસ પર કાર્યકર્તાઓને અભિનંદન આપ્યા હતા. જે બાદ તેમણે કહ્યું પાર્ટીના ગૌરવશાળી ઈતિહાસના આજે 41 વર્ષ પૂરા થઈ રહ્યા છે. આ 41 વર્ષ સેવા અને સમર્પણ સાથે પાર્ટી કઈ રીતે કામ કરે છે તેના સાક્ષી છે.

બ્રેકગ્રાઉન્ડ

નવી દિલ્હીઃ પીએમ મોદીએ ભાજપના સ્થાપના દિવસ પર કાર્યકર્તાઓને સંબોધન કર્યુ હતું. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.