PM Modi live : દેશ કોરોના મહામારી સામે લડી રહ્યો છે, કોરોના બાદ વિશ્વ બદલાઇ જશે
પ્રધાનમંત્રી મોદી આજે 11 વાગ્યે કાર્યકર્તાઓને સંબોધશે. પ્રધાનમંત્રી "આત્મ નિર્ભર અર્થવ્યવસ્થા" અંતર્ગત કાર્યકર્તાઓને વિડિયો કોન્ફરન્સથી સંબોધન કરશે.
આરબીઆઇ ડિજિટલ કરન્સી લોંચ કરશે. ડિજિટલ કરન્સીથી અર્થવ્યવસ્થાને ફાયદો.
નાના ખેડૂતોને મજબૂત કરવા પર જોર. પોસ્ટ ઓફિસમાં પણ બેંક જેવી સુવિધા મળશે.
કેમિકલ મુક્ત ખેતી પર કામ ચાલુ
ડ્રોન ખેડૂતોનો નવો સાથી બનશે.
ભારતની અર્થવ્યવસ્થા અંદાજે 2 લાખ 30 હજાર કરોડ છે. આ બજેટમાં ગરીબો માટે પાકા મકાન. નવા ઘરો માટે 48 હજાર કરોડ રૂપિયા ખર્ચાશે. ગરીબો માટે 80 લાખ નવા મકાન બનાવાશે. જનધન ખાતાથી ગરીબોને લાભ મળ્યો. આત્મનિર્મભર આધૂનિક ભારતનું નિર્માણ કરીશું.
બજેટથી અર્થવ્યવસ્થા મજબૂત થશે. મૂળભૂત સુવિધાઓ વધારનાર બજેટ છે.
દેશભરમાં બજેટની ખૂબ પ્રશંસા થઈ. આ સમય નવા અવસરોનો સંકલ્પ સિદ્ધિનો છે. ભારતે વિશ્વનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ.
નાણા મંત્રીએ સારું બજેટ રજૂ કર્યું છે. દેશ કોરોના મહામારી સામે લડી રહ્યો છે. મહામારીથી દુનિયા નવા માર્ગ પર છે.
નાણા મંત્રીએ સારું બજેટ રજૂ કર્યું છેઃ નરેન્દ્ર મોદી
ધન્યવાદ આદરણીય અધ્યક્ષજી, નમસ્કાર કહીને સંબોધની પીએમ મોદીએ કરી શરૂઆત. રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાનો આભાર માન્યો.
પીએમ મોદી બજેટ 2022-23 મુદ્દે કરશે સંબોધન
સમય સમય પર પીએમ મોદીનું માાર્ગદર્શન મળતું રહે છેઃ નડ્ડા
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા પૂર્વ ભૂમિકા આપી રહ્યા છે.
પીએમ મોદી થોડીવારમાં કરશે સંબોધન
બ્રેકગ્રાઉન્ડ
ગાંધીનગરઃ પ્રધાનમંત્રી મોદી આજે 11 વાગ્યે કાર્યકર્તાઓને સંબોધશે. પ્રધાનમંત્રી "આત્મ નિર્ભર અર્થવ્યવસ્થા" અંતર્ગત કાર્યકર્તાઓને વિડિયો કોન્ફરન્સથી સંબોધન કરશે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તથા પ્રદેશ હોદ્દેદારો કમલમ કાર્યાલય ગાંધીનગરથી વડાપ્રધાનનું સંબોધન સાંભળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -