PM Modi Rajya Sabha Speech Live: 'મણિપુરમા સ્થિતિ સામાન્ય કરવાના થઇ રહ્યા છે પ્રયાસ', રાજ્યસભામાં બોલ્યા વડાપ્રધાન
PM Modi Rajya Sabha Speech: 18મી લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂને શરૂ થયું હતું. જો કે આ દરમિયાન રાજ્યસભાની કાર્યવાહી ચાલુ રહેવાની છે
gujarati.abplive.comLast Updated: 03 Jul 2024 03:27 PM

બ્રેકગ્રાઉન્ડ
Parliament Session 2024 Live Updates: રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પસાર થયા પછી અઢારમી લોકસભાના પ્રથમ સત્રની બેઠક અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી છે. 18મી લોકસભાનું પ્રથમ સત્ર 24...More
Parliament Session 2024 Live Updates: રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પસાર થયા પછી અઢારમી લોકસભાના પ્રથમ સત્રની બેઠક અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી છે. 18મી લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂને શરૂ થયું હતું. જો કે આ દરમિયાન રાજ્યસભાની કાર્યવાહી ચાલુ રહેવાની છે. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે આ સત્રમાં ગૃહની સાત બેઠકો થઈ હતી જે લગભગ 34 કલાક સુધી ચાલી હતી અને તેની કાર્ય ઉત્પાદકતા લગભગ 103 ટકા હતી.લોકસભા અધ્યક્ષે કહ્યું કે આભાર પ્રસ્તાવ પર 18 કલાક સુધી ચર્ચા ચાલી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે (2 જુલાઈ) વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર જોરદાર પ્રહારો કર્યા હતા. તેમણે તેમના માટે ચાઇલ્ડ ઇન્ટેલિજન્સ શબ્દનો ઉપયોગ કર્યો હતો. પીએમ મોદીએ લોકસભામાં કોંગ્રેસના નેતા પર હિન્દુઓને હિંસા સાથે જોડવાનો અને ખોટા દાવા કરવાનો આરોપ લગાવ્યો અને સંસદીય લોકશાહીની સુરક્ષા માટે તેમની સામે કડક કાર્યવાહી કરવાની હાકલ કરી. પીએમ મોદીએ લોકસભામાં લગભગ 2 કલાક સુધી ભાષણ આપ્યું.રાજ્યસભામાં અનેક વિપક્ષી દળોએ દેશમાં વિવિધ પરીક્ષાઓના પ્રશ્નપત્ર લીક થવાના વધતા જતા મામલા, રાજ્યો સાથે કરવામાં આવતા ભેદભાવ અને કેન્દ્રીય તપાસ એજન્સીઓને હથિયાર બનાવા મુદ્દે ચર્ચા કરી હતી. તૃણમૂલ કોંગ્રેસના મોહમ્મદ નદીમુલ હકે કહ્યું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધનમાં એક શબ્દ ખૂટે છે અને તે શબ્દ છે 'ગઠબંધન'. રાષ્ટ્રપતિના અભિભાષણને લઈને વિપક્ષી સાંસદોએ પોતાના વિચારો રજૂ કર્યા, પરંતુ આ દરમિયાન તેઓએ સરકાર પર નિશાન સાધ્યું હતું.
Parliament Session News: મણિપુરમાં સંઘર્ષનો લાંબો ઈતિહાસ, 10 વખત રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું - PM મોદી
પીએમ મોદીએ કહ્યું કે મણિપુરમાં સામાજિક સંઘર્ષનો લાંબો ઈતિહાસ છે. કોંગ્રેસના લોકોએ એ ન ભૂલવું જોઈએ કે આ કારણે ત્યાં 10 વખત રાષ્ટ્રપતિ શાસન લગાવવું પડ્યું હતું. અમારા કાર્યકાળમાં આવું બન્યું નથી, પરંતુ તેમ છતાં રાજકીય લાભ લેવા માટે આવી વાતો કરવામાં આવી રહી છે.