આજે CIIના વાર્ષિક સત્રને સંબોધિત કરશે પીએમ મોદી, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 02 Jun 2020 09:15 AM (IST)
વીડિયો કોન્ફરન્સ દ્વારા થનારા આ કાર્યક્રમ સીઆઈઆઈની સ્થાપનાના 125 વર્ષ પૂરા થવાનો અવસર છે.
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી મોદી આજે ઉદ્યોગ સંગઠન ભારતીય ઉદ્યોગ પરિસંઘ (CII)ના વાર્ષિક સત્રને સંબોધન કરશે. આ સંબોધનમાં ભારતીય ઉદ્યોગ જગતની સાથે દેશને આર્થિક વૃદ્ધીના રાહ પર લાવવાનો મંત્ર શેર કરશે. લોકડાઉન પ્રતિબંધોમાં ઢીલની સાથે જ કંપનીઓ અને કારખાના શરૂ થવા લાગ્યા છે તેવા જ સમયે પ્રધાનમંત્રી મોદીનું સંબોધન ઘણું સૂચક માનવામાં આવે છે. વીડિયો કોન્ફરન્સ દ્વારા થનારા આ કાર્યક્રમ સીઆઈઆઈની સ્થાપનાના 125 વર્ષ પૂરા થવાનો અવસર છે. ઉદ્યોગ સંગઠનનની સ્થાપના 1895માં થઈ હતી. સીઆઈઆઈના 125માં વાર્ષિક સત્રનો મુખ્ય વિષય ગેટિંગ Wગ્રોથ બેક' એટલે કે વૃદ્ધિની રાહ પર ફરવાનો છે.