મોદી તેમના સંબોધનમાં શું જાહેરાત કરશે તે અંગે અટકળો ચાલી રહી છે. પહેલી અટકળ એવી છે કે, મોદી કોરોનાની રસી અંગે કોઈ મોટી જાહેરાત કરશે. બીજી અટકળ એવી છે કે, મોદી નવા આર્થિક પેકેજની જાહેરાત કરશે. ત્રીજી અટકળ એવી છે કે, હવે મોદી લોકડાઉનને સંપૂર્ણપણે ઉઠાવી લેવાનું એલાન કરીને દેશને 1 નવેમ્બરથી ટોટલ અનલોક કરવાની જાહેરાત કરશે.
કોરોના રોગચાળ ફાટી નિકળ્યો પછી દેશના લોકોને મોદીનું આ સાતમું સંબોધન હશે. આ અગાઉ છેલ્લે તેમણે 30 જૂને દેશને સંબોધન કર્યું હતું. મોદી 30 જૂને 17 મિનિટ બોલ્યા હતા અને આર્થિક પેકેજની જાહેરાત કરી હતી.