પીએમ મોદીએ કહ્યું કે, બજેટમાં જે નવા રિફોર્મ્સની જાહેરાત કરવામાં આવી છે. તે આપણી અર્થવ્યવસ્થાને ગતિ આપે. દેશના પ્રત્યેક નાગરિકને આર્થિક રીતે સશક્ત બનાવવા અને આ દાયકામાં અર્થવ્યસ્થાનો પાયો મજબૂત કરવા માટે કામ કરશે.
તેઓએ કહ્યું કે, બજેટમાં આધુનિક ભારત પર જોર આપવામાં આવ્યું છે. ડીડીટી(ડિવિડેન્ડ ડિસ્ટ્રીબ્યૂશન ટેક્સ) માટે લેવામાં આવેલા નિર્ણયોથી કંપનીઓના હાથમાં વધુ પૈસા આવશે. ટેક્નોલોજી ક્ષેત્રે પગલા લેવામાં આવ્યા છે. ઈનકમ ટેક્સમાં સરકાર વિવાદથી વિશ્વાસ તરફ જઈ રહી છે.
દુનિયાના ખૂબજ ઓછા દેશ છે જ્યાં ટેક્સ ચાર્ટરની સ્થાપના કરવામાં આવી છે અને ભારત તે દેશોની યાદીમાં સામેલ થવા જઈ રહ્યો છે. આ બજેટમાં શિક્ષણ ક્ષેત્રમાં વિદેશી રોકાણની યોજના મુકવામાં આવી છે. સરકાર ડાયરેક્ટ ટેક્સ માટે નવું અને સરળ માળખુ લાવી રહી છે.
રોજગારની તકો ઉભી કરવા માટે સરકાર નિકાસને પ્રોત્સાહન આપી રહી છે અને ઈન્વેસ્ટમેન્ટ માટે અલગ પોર્ટલ બનશે. એપ્રિલ 2020થી જીએસટીનું નવું વર્ઝન લાવવામાં આવશે. ટૂરિઝમમાં વધુ રોજગારની તકો ઉભી કરાશે અને પાંચ કરોડોના ટર્નઓવરવાળી કંપનીઓની ઑડિટની જરૂર નહીં પડે.