PM Modi Interview: PM મોદીએ અખિલેશ પર નિશાન સાધ્યું, અજય મિશ્ર ટેની, જવાહર લાલ નેહરુ અને પંજાબને લઈ કહી આ વાત
ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. આવતીકાલે યુપીમાં પ્રથમ તબક્કાનું મતદાન થશે. આ પહેલા બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એબીપી ન્યૂઝ પર લાઈવ
gujarati.abplive.comLast Updated: 09 Feb 2022 08:03 PM

બ્રેકગ્રાઉન્ડ
PM Modi Interview: ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. આવતીકાલે યુપીમાં પ્રથમ તબક્કાનું મતદાન થશે. આ પહેલા બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એબીપી ન્યૂઝ...More
PM Modi Interview: ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. આવતીકાલે યુપીમાં પ્રથમ તબક્કાનું મતદાન થશે. આ પહેલા બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એબીપી ન્યૂઝ પર લાઈવ છે. બેરોજગારીથી લઈને કોરોના મહામારી સુધી અને ચૂંટણીની મોસમમાં અર્થતંત્ર અને સાંપ્રદાયિકતાના મુદ્દા. આ તમામ મુદ્દાઓને લઈને વિપક્ષ સતત સરકારને સવાલ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં પ્રથમ તબક્કાના મતદાન પહેલા પીએમ મોદીનો ઈન્ટરવ્યુ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
ચૂંટણીમાં ધ્રુવીકરણના સવાલ પર પીએમ
ચૂંટણીમાં ધ્રુવીકરણના સવાલ પર પીએમએ કહ્યું, "ભાજપનો મંત્ર સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ છે. અમે ક્યારેય અમારા સિદ્ધાંતો બદલ્યા નથી. તમે મારા મોઢેથી ઘણી વખત સાંભળ્યું હશે. હું આ જોઈ રહ્યો છું કે વિશ્વના દેશો પણ આ વાક્યનો પોતપોતાની ભાષામાં અનુવાદ કરી કહે છે કે મોદી આ સિદ્ધાંતો પર કામ કરે છે. સમાજ વ્યવસ્થા છે, તેને કોઈ નકારી શકે નહીં.