દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે, જો કે લોકડાઉનના કારણે મોટાપ્રમાણમાં કોરોના પર અંકુશ લાગ્યો છે. ત્રણ મે સુધી દેશમાં લોકડાઉન લાગુ છે. એવામાં પીએમ મોદી આ કાર્યક્રમથી ફરી એકવાર કોરોના વાયરસ અને લૉકડાઉનના મુદ્દા પર લોકો સામે પોતાના વિચારો રૂજૂ કરી શકે છે.
મન કી બાત કાર્યક્રમનો આ વર્ષનો ચોથો અને કુલ 64મો એપિસોડ હશે. આ પહેલા પીએમ મોદીએ 12 એપ્રિલે એક ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, આ મહિનાની 26 તારીખે મન કી બાત કરશે. જેને લઈને પીએમ મોદીએ સલાહ-સૂચનો પણ માંગ્યા હતા.