PM Modi in Lok Sabha: PM મોદીએ સંસદમાં કહ્યું- દરેક ક્ષેત્રમાં ઉત્પાદન વધ્યું, 2 લાખ કરોડ રૂપિયા ગરીબો-મજૂરો પર ખર્ચ કર્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે લોકસભામાં બજેટ સત્ર દરમિયાન રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવનો જવાબ આપી રહ્યા છે.

gujarati.abplive.com Last Updated: 07 Feb 2022 06:33 PM

બ્રેકગ્રાઉન્ડ

PM Modi Speech In Lok Sabha: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે લોકસભામાં બજેટ સત્ર દરમિયાન રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવનો જવાબ આપી રહ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બજેટ સત્રના પહેલા દિવસે...More

PMએ યોજનાઓ વિશે માહિતી આપી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં કહ્યું હતું કે, "મુદ્રા યોજના સફળ રહી. માતાઓ અને બહેનો આ ક્ષેત્રમાં આવ્યા. લાખો લોકો ગેરંટી વગર બેંકોમાંથી લોન લઈને સ્વરોજગાર તરફ આગળ વધ્યા છે અને એક-બે લોકોને રોજગાર આપીને પોતે પણ કરી રહ્યા છે. PM એ કહ્યું કે આઝાદી પછી પહેલીવાર સ્ટ્રીટ વેન્ડર્સને બેંકો પાસેથી લોન મળી રહી છે અને અમારા સ્ટ્રીટ વેન્ડરો ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરી રહ્યા છે અને કરોડો કામદારોને યોજનાનો લાભ મળી રહ્યો છે. અમે ગરીબ કામદારો માટે બે લાખ કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કર્યા છે